સૂરત ગુજરાતનું બીજું સૌથી મોટી આબાદી ધરાવતું શહેર છે. તાપી નદીના કિનારે આવેલું અને ઈતિહાસ, વન્યજીવો અને ગુજરાતના સૌથી મોટું પાર્ક છે. જો તમે ગુજરાતના સૂરતની ટૂરનો પ્લાન કરો છો તો આ સ્થળો જોવાનું ચૂકશો નહીં અને સાથે જાણો અહીંથી શું ખરીદવું બેસ્ટ રહેશે તે વિશે પણ.
ગુજરાતનું સૂરત છે બેસ્ટ પ્લેસ
અહીં જાઓ તો આ સ્થળો જોવાનું ચૂકશો નહીં
આ વસ્તુઓની કરી શકાશે ખરીદી પણ
સૂરતમાં સંસ્કૃતિ, ઈતિહાસ, વિરાસત અને સમુદ્રી તટની મજા અનેરી છે. જો તમે અહીં જાઓ છો તો તમે એક આરામદાયક, પ્રકૃતિ સાથે રહેવાની અને શાંત ટૂરનો અહેસાસ કરી શકો છો. આ સાથે તેને ડાયમંડ સીટી પણ કહેવાય છે. જો તમે અહીંથી ખરીદી કરવા ઈચ્છો છો તો તમે કિનારી ગારમેન્ટ્સ, જરી ગારમેન્ટ્સ, સલ્મા ગારમેન્ટ્સ અને ચાંદીના ઘરેણાની ખરીદી કરી શકો છો.
ડુમસ બીચ
શહેરથી 13 કિમીના અંતરે આવેલા ડુમસ બીચની મુલાકતા લેવાનં ચકશો નહીં. આ બીચ ખાસ કરીને તેની સુંદરતા માટે જાણીતો છે. અહીં અનેક દર્શનીય સ્થળ સિવાય તમે સમુદ્દી તટ પર સમુદ્રી ભોજનનો પણ આનંદ માણી શકો છો. અહીંનું શાંત અને આહ્લાદક વાતાવરણ તમને રાહત આપે છે અને માનસિક શાંતિ પણ. ડુમસને ભૂતિયા સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમ છતાં દિવસ દરમિયાન લોકો તેની મુલાકાત લેતા ખચકાતા નથી. સવાર અને સાંજના સમયે અહીં સહેલાણીઓની ખાસ ભીડ પણ રહે છે.
દાંડી નવસારી
દાંડી અરબી સમુદ્ર દ્વારા એક દિવસ શાંતિ અને શાંત માટે આદર્શ છે. દાંડી આજે સુંદર દૃશ્ય છે કે તમે આનંદ કરી શકો છો અથવા તમે પાણીમાં મોજાઓ તમને આકર્ષે છે. દાંડી મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા છે. તેમણે અમદાવાદથી 1 930 માં તેમનો કૂચ શરૂ કર્યો અને દાંડી ખાતે સમાપ્ત થયો.
સરથાણા પાર્ક
આ મ્યુનિસિપલ સંચાલિત પ્રકૃતિ પાર્ક તાપી નદીની બાજુમાં ૮૧ એકર વિસ્તારને આવરી લેતું ગુજરાતનું સૌથી મોટું પાર્ક છે. પહેલીવાર ૧૯૮૪ માં સ્થાપવામાં આવી હતી અને તેને સિંહ, વાઘ અને રીંછની જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જોવા માટે અને કેટલાક આરામનો આનંદ માણવા માટે તે યોગ્ય છે. જો તમે સૂરત જાઓ છો તો આ જોવાનું ચૂકશો નહીં.
ઉકાઇ ડેમ
સુરતથી ઉકાઇ ડેમથી તે બધી રીતે મુસાફરી કરવા યોગ્ય છે. આ ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેશન અને જળ સંગ્રહસ્થાનનો બંન્નેનો હેતુ પૂરો પાડે છે.
હજીરા
હજીરા સુરતથી ૩૦ કિમી દૂર છે અને એક કલાકથી પણ ઓછા સમયમાં પહોંચી શકાય છે. હજીરા સૂરતનું સૌથી જૂનુ બંદર છે. અહીં અરબ સાગરના કિનારે શહેર વસ્યું છે. આ શહેર તેની મનોરંજક સુવિધાઓ અને સાતે ગરમ પાણીના ઝરણા માટે જાણીતું છે. હજીરમાં આઈડિલિક સમુદ્રી તટ આ જગ્યાની સુંદરતા વધારે છે. સાથે અહીં છીછરા પાણી સાથે સરસ બીચ છે, જે તેને પાણીની રમતો માટે યોગ્ય બનાવે છે. અહીં કોઈ પણ સમયે ટૂરિસ્ટની ખાસ ભીડ રહે છે.
અંબિકા નિકેતન મંદિર
સૂરતમાં તાપીના કિનારે 1969માં અંબિકા નિકેતન મંદિર બન્યુ છે. આ મંદિર મા દેવી અષ્ટભુજા અંબિકાને સમર્પિત છે. આ સૂરતના વિશેષ અને મહત્વના તીર્થસ્થળોમાંનું એક છે. શહેરથી આ મંદિર ફક્ત 3 કિમીના અંતરે આવેલું છે. આ જગ્યા પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે આદર્ષ છે. અંબામા માતાના ઉપાસકો આ મંદિરની મુલાકાત લે છે. અહીં તમે વર્ષમાં કોઈ પણ સમયે જઈ શકો છો અને દર્શનનો લાભ પણ લઈ શકો છો.
કેવી રીતે પહોંચશો સૂરત
સડકમાર્ગ
ભારતના અનેક રાજ્યો જેમકે દિલ્હી, એમપી, મહારાષ્ટ્ર વગેરેથી અહીં સડકમાર્ગે સરળતાથી જઈ શકાય છે.
રેલમાર્ગ
સૂરતનું રેલ્વે સ્ટેશન દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને ગુજરાતના અનેક શહેરો સાથે જોડાયેલું છે. જેની મદદથી સરળતાથી અહીં પહોંચી શકાય છે.
હવાઈ માર્ગ
અહીનું નજીકનું એરપોર્ટ વડોદરા છે. જે સૂરતથી 140 કિમી દૂર છે. નિયમિત ફ્લાઈટ વડોદરાને મુંબઈ અને ભાવનગર જેવા શહેરો સાથે જોડે છે.