અમદાવાદ શહેરમાં વરસી રહેલા વરસાદે મનપાની પોલ ખોલી દીધી હતી. ક્યારેય ન ભતા થલતેજના મહિલા ગાર્ડનનું તળાવ છલોછલ ભરાયુ હતુ પરંતુ ગટરના પાણીથી.
14 દિવસે તળાવ આખુ ઉલેચાશે, મનપા લાગ્યુ ધંધે
સ્થાનિકોની ફરિયાદ બાદ તંત્ર જાગ્યુ
અગાઉ પણ આવી જ રીતે ગટરનું પાણી ભળી ગયુ હતુ
થલતેજમાં આ ગાર્ડનની આસપાસ રહેતા રહીશો માટે આ ગટરના પાણીથી થતી હાલાકી ઉડીને આંખે વળગે એવી હતી. આ અંગે સ્થાનિકોએ તપાસ કરી તો તેમને જાણવા મળ્યુ કે, આ તળાવમાં ગટરનું પાણી ભરાઈ ગયુ છે.
સ્થાનિકોની ફરિયાદને પગલે મનપા ઉલેચી રહી છે તળાવ
સ્થાનિક રહીશોની ફરિયાદના પગલે મનપા તંત્રએ 'ડી વોટરિંગ' વાનનો સહારો લઈને તળાવ ઉલેચવાનું શરૂ કરી દીધું. જોકે આવડું મોટું તળાવ ઉલેચતાં તંત્રપુરા દસ દિવસ લાગશે મહિલા ગાર્ડનમાં વોક કરવા આવતાં બાળકોને રમવા માટે લાવતી મહિલાઓએ ગાર્ડનમાં દૂર્ગંધ મારતી હોવાની ફરિયાદ તંત્રને કરી હતી.
તળાવની નજીક જ જાણીતી રેસ્ટોરાંનું રસોડું છે
ગાર્ડનમાં રહેતા સિક્યોરિટીએ પણ આ બાબતે જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પરંતુ પાણી પહેલા પાળ બાંધી નહોતી એટલે વરસાદી પાણીની આવક સાથે જ ગટરનાં પાણીએ પણ તળાવમાં એન્ટ્રી લેતાં તળાવ ગટરનાં પાણીથી છલકાઈ ઉઠ્યું છે.તળાવની નજીક જ જાણીતી રેસ્ટોરાંનું રસોડું છે.
3 વર્ષ પહેલા પણ બન્યો હતો આવો જ બનાવ
આસપાસના રહીશોના જણાવ્યા મુજબ આ તળાવની સ્ટોર્મ વોટરની પાઈપલાઈન સાથે અગાઉ પણ ચેડાં કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષ પહેલાં પણ ગટરનાં પાણી તળાવમાં ફરી વળ્યાં હતાં. તંત્રએ ત્યારે પણ આવી લાઈનો ચેક કરીને બંધ કરી દીધી હતી અને નજીવો દંડ ફટકારીને સંતોષ માની લીધો હતો.
14 દિવસ લાગશે ત્યારે તળાવ ઉલેચાશે
જ્યારે આ ચોરી પડકાશે ત્યારની વાત ત્યારે પણ અત્યારે તંત્ર હજારોના ખર્ચે માણસના સ્ટાફ સાથે ડી વોટરિંગ વાન દ્વારા પાણી ઉલેચીને ગટર ભરી રહ્યું છે. 14 દિવસ માટે રાત દિવસ આ કામગીરી થયા બાદ તળાવ સામાન્ય પરિસ્થિતિમાં આવશે.