જીએસટી કાઉન્સિલની બેઠક બાદ હવે જીએસટીનાં વાર્ષિક રિટર્ન ભરવાની મુદત લંબાવીને તેમાં એક માસનો વધારો કરવામાં આવ્યો છે. હવે ૩૧ જાન્યુઆરી, ર૦ર૦ સુધી જીએસટીઆર-૯ અને ૯-સી ભરી શકાશે.
વર્ષ ર૦૧૭-૧૮ માટે જીએસટીનાં વાર્ષિક રિટર્ન ભરવાને લઈ હજુ પણ વેપારીઓ-કરદાતાઓમાં પણ મૂંઝવણ છે. ઉદ્યોગકારો દ્વારા અવારનવાર કેન્દ્ર સરકારમાં રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી વાર્ષિક રિટર્નની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર, ર૦૧૯ હતી, પરંતુ જીએસટીની વેબ પોર્ટલ પર તે અંગેના સુધારા સાથેનું ફોર્મ જ અપલોડ કરાયું નહોતું. અગાઉ ૧૦ અને ત્યારબાદ ૧પ તારીખે ફોર્મ મૂકવાનું હતું, જે મુકાયું નહીં અને હવે ર૧ ડિસેમ્બરે ફોર્મ રજૂ થશે તેવી જાહેરાત પોર્ટલ પર થઈ હતી. ૧૦ દિવસમાં વાર્ષિક રિટર્ન ભરવું કરોડો કરદાતા માટે સરળ નહીં જણાતાં સરકારે વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં એક મહિનાનો વધારો કરવો પડ્યો છે.
જીએસટીઆર-૯ શું છે?
જીએસટીઆર-૯ એ એક સ્ટેટમેન્ટ છે, જે જીએસટીમાં નોંધાયેલ કરદાતાએ દર વર્ષે એક વખત ફાઈલ કરવાની જરૂર પડે છે. આ સ્ટેટમેન્ટમાં તે તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે સંબંધિત વેપારીએ વર્ષ દરમિયાન વિવિધ ટેક્સ (સીજીએસટી, એસજીએસટી અને આઇજીએસટી) હેઠળ મેળવ્યા અથવા તો ચૂકવ્યા છે, તેમાં ટર્નઓવર અને તેના ઓિડટની વિગતો પણ સામેલ હોય છે.
સરકારે જીએસટીઆર-૯સી ઓડિટ ફોર્મ રજૂ કર્યું છે. બે કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને આ જીએસટી વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની જરૂર પડે છે. કરદાતાએ જીએસટીઆર-૯માં દાખલ કરેલાં વાર્ષિક રિટર્ન અને ઓિડટ કરેલાં વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ વચ્ચેનું આ સ્ટેટમેન્ટ છે.