ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયુ છે જેમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. વિજ્ઞાન પ્રવાહનું સરેરાશ 71.34 ટકા પરિણામ જાહેર થયું. રાજ્યની 36 શાળાઓનું કુલ 100 ટકા પરિણામ આવ્યું. જ્યારે 68 શાળાઓમાં 10 ટકા કરતા પણ ઓછુ પરિણામ આવ્યું.
1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરશે
સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી
રાજ્યમાં ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે સાયન્સના પરિણામમાં A1 ગ્રેડમાં 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ત્યારે આ વર્ષે ફરી એક વખત સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સુરતમાં કુલ 19 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં આવ્યા છે જેમાંથી આશાદીપ સાયન્સ સ્કૂલના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ NEET અને JEE પર ધ્યાન આપતા સમગ્ર રાજ્યમાં A1 વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા વિષયમાં વિદ્યાર્થીઓના માર્કસ કપાયા છે.
ધોરણ 12નું વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર
આજે ગુજરાતના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહનું સરેરાશ 71.34 ટકા પરિણામ જાહેર થયું. રાજ્યની 36 શાળાઓનું કુલ 100 ટકા પરિણામ આવ્યું.. જ્યારે 68 શાળાઓમાં 10 ટકા કરતા પણ ઓછુ પરિણામ આવ્યું. ]
રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું 84.69 ટકા પરિણામ
રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું 84.69 ટકા પરિણામ આવ્યું. જામનગર જિલ્લાના ધ્રોલ કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ આવ્યું. લીમખેડા તાલુકાનું પરિણામ 23.02 ટકા પરિણામ આવ્યું. જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી નીચું 32.64 ટકા પરિણામ આવ્યું. રાજ્યમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 16 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં 83 હજાર 111 વિદ્યાર્થીઓ પાસ થયા છે