સરકારી કચેરીની સાથે ખાનગી શાળા અને જાહેર સ્થળે ફાયર સેફ્ટીનો અભાવ
તક્ષશિલા અગનકાંડના પોણા ચાર વર્ષ બાદ પણ હજુ અનેક નગરો અને મહાનગરોમાં તંત્ર કોઈ નવી કરુણાંતિકાની રાહ જોતું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આપણા રાજ્યમાં આઉટઓફ ડેટ વાહનોને બદલવાની વાતો થઈ રહી છે પરંતુ શહેરોની અનેક બિલ્ડિંગોમાં આઉટ ઓફ ડેટ થયેલા ફાયર સેફ્ટીના સાધનોને બદલવાનું ન તો સરકારી રાહે કોઈને સૂઝી રહ્યું કે નતો સંસ્થાકીય રાહે કોઈના દિમાગમાં વિચાર ઝબકી રહ્યો છે. ફાયર સેફ્ટી મામલે ભાવનગર શહેરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે શહેરની મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે.
ફાયર સેફ્ટી મામલે ભાવનગર શહેરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી
આપણા રાજ્યમાં આઉટઓફ ડેટ વાહનોને બદલવાની વાતો થઈ રહી છે પરંતુ શહેરોની અનેક બિલ્ડિંગોમાં આઉટ ઓફ ડેટ થયેલા ફાયર સેફ્ટીના સાધનોને બદલવાનું ન તો સરકારી રાહે કોઈને સૂઝી રહ્યું કે નતો સંસ્થાકીય રાહે કોઈના દિમાગમાં વિચાર ઝબકી રહ્યો છે. ભાવનગરની અનેક સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠિયા સમાન ફાયર સેફ્ટીના સાધનો છે. હાલ ભાવનગરની દરેક સરકારી કચેરી જેમ કે જિલ્લા સેવા સદન બહુમાળી કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મહાનગરપાલિકાના અર્બન સેન્ટર સહિતના સરકારી કચેરીઓમાં ફાયર સેફટી ના સાધનો એક્સપાયરી ડેટ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર થઈ રહ્યા નથી. તો આ તરફ ભાવનગર શહેરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ આ બાબતે જાણે નરમ વલણ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ ભાવનગર તંત્ર જાગશે?
ભાવનગર શહેરમાં મનપાનાં ફાયર ઓફિસર દ્વારા દરેક સરકારી કચેરીઓમાં ફાયર સુવિધા લગાવવા માટે નોટિસો આપવામાં આવી છે તો બીજી તરફ સરકારી વિભાગના જવાબદાર અધિકારીઓ જ ફાયર ફીટીંગ તેમજ એક્સપાયરી ડેટ થઈ ચૂકેલા ફાયર સેફટીના સાધનો રીફીલ કરાવવા માટે પણ બેદરકારી દાખવી રહ્યા છે. ફાયર સુવિધાના મામલે તાલુકા પંચાયત કચેરી ભાવનગર ની સૌથી વધુ ખરાબ હાલત જોવા મળી રહી છે. ફાયર સેફટીના નવા નકોર સાધનો ત્રણ વર્ષથી એક ખૂણામાં ખડકી દેવામાં આવ્યાં છે પૂરું સરકારી બિલ્ડીંગ ફાયર સુવિધા વગર ચાલી રહ્યું છે
ભાવનગર શહેરની મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ
શહેરમાં મોટાભાગની સરકારી કચેરી અને ખાનગી શાળા તેમજ અન્ય સ્થળો એ ફાયરની સુવિધા છે જ નહીં, તેમ છતાં શહેરમાં તંત્ર આ તમાશો જોઈને બેઠું છે તેમ લાગી રહ્યું છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું કહેવુ છે કે, તેમની ફરજ માત્ર આગ લાગ્યા બાદ ઓલવાની છે. આઉટ ઓફ ડેટ થયેલા ફાયરના સાધનો બદલી નાખવાનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. સરકારી કચેરીઓમાં જ આ પ્રકારની બેદરકારી સરકાર કેમ ચલાવી રહી છે, શું કોઈ આગ લાગવાની દુર્ઘટના બનશે અને કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ ભાવનગર મનપાનું તંત્ર અને જવાબદાર અધિકારીઓ જાગશે તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે.
ફાયર સેફ્ટીને લઈને સળગતા સવાલો
ભાવનગરમાં અગ્નિશામક સાધનો કેમ બન્યા શોભાના ગાંઠિયા સમાન?
પૂરું સરકારી બિલ્ડીંગ ફાયર સુવિધા વગર કેમ ચાલી રહ્યું છે?
સરકારી કચેરીઓમાં જ આ પ્રકારની બેદરકારી તંત્ર કેમ ચલાવી રહી છે?
સરકારી કચેરીઓને નોટિસ ફટકારી છતા કેમ ન દેખાઇ અસર?
3 વર્ષથી નવા અગ્નિશામક સાધનો કેમ બન્યા છે શોભાના ગાંઠીયા સમાન?
ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટેની ટકોર બાદ પણ કેમ તંત્ર છે નિંદ્રામાં?
શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ ભાવનગર તંત્ર જાગશે?