ગુજરાત-રાજસ્થાનની બોર્ડર નજીક બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ત્રણ દિવસીય અશ્વ મેળાનું આયોજન
ત્રી-દિવસીય અશ્વ મેળાનું આયોજન
1000થી વધુ અશ્વોએ ભાગ લીધો
હજારો અશ્વપ્રેમીઓનું ઘોડાપુર ઉમટ્યું
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ચાર દિવસ માટે ત્રણ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન અને અન્ય રાજયના લોકો અશ્વ સાથે ભાગીદાર બન્યા છે. આજે શિવરાત્રી નિમિત્તે આ અશ્વ મેળાની સાંજે પૂર્ણાહુતિ થઈ છે. જેમાં 1000થી વધુ ઘોડાઓ સ્પર્ધક તરીકે ભાગીદાર બન્યા હતા.
બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનને અડીને આવેલો છે. રાજસ્થાનની મારવાડી નસ્લના ઘોડા સમગ્ર દેશમાં વિખ્યાત છે. અશ્વોનું ઐતિહાસિક મુલ્ય સમજાય અને લોકો અશ્વપાલન સાથે જોડાય તે હેતુંથી છેલ્લા 10 વર્ષથી લાખાણી તાલુકાના જસરા ગામે ચાર દિવસ માટે અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.
આ અશ્વ મેળામાં અલગ અલગ સ્પર્ધાઓ હોય છે. જેમાં અનેક રાજ્યના અશ્વ પ્રેમીઓ સહભાગી બને છે. જસરા ગામે દર વર્ષ યોજાતા અશ્વ મેળાનું આગવું મહત્વ હોવાથી હજારો અશ્વપ્રેમીઓ આ અશ્વ મેળાને નિહાળવા માટે જસરા ગામે પહોંચે છે. આજે 3 દિવસથી ચાલતા આ મેળાની આજે પૂર્ણાહુતિ થઈ.
જસરા ગામે યોજાતો આ મેળો સરહદી વિસ્તારનો સૌથી મોટો મેળો છે. આ મેળામાં અશ્વો આકર્ષણનું કેન્દ્ર છે. ઘોડાદોડ, નાચ, શણગાર, ન્સલ, સમજદારી, કેળવણી આ તમામ બાબતોની અલગ અલગ સ્પર્ધા યોજાય છે. જેમાં આ માત્ર બનાસકાંઠાના જ નહીં પરંતુ રાજસ્થાન અને ગુજરાતના ઘોડા માલિકો ભાગીદાર બને છે.
જેમાં પ્રથમ આવનાર ઘોડાને ઇનામ પણ આપવામાં આવે છે. ઘોડાના કરતબ અને તેની વિશેષતાઓ જોવા ચાર દિવસ માટે લોકોનું ઘોડાપુર ઉમટે છે. લોકો અશ્વોના કરતબ જોઈ આશ્ચર્ય પામે છે. આધુનિક જમાનામાં વિસરાતી જતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે આ અશ્વ મેળો આ વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે.