વારંવાર હાઈકોર્ટના આદેશ છતાંય GPCBના આંખ આડા કાન, GPCB વોટર એક્ટ મુજબ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ
અમદાવાદ સાબરમતી નદીની જાળવણીની ફરજ GPCB ચૂક્યું
ઉદ્યોગો સાથેની GPCBની સાંઠગાંઠ પર્યાવરણને ભારે પડે છે
GPCB વોટર એક્ટ મુજબ કાર્યવાહી નથી કરાતી
સાબરમતી નદીનું પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે...અને નદીની જાળવણીને લઈને પર્યાવરણ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી છે...ત્યારે ગુજરાત હાઇકોર્ટ AMC અને GPCB સામે આકરું વલણ અપનાવ્યું છે...સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો મામલે ગુજરાત હાઈકોર્ટે પ્રશાસનનો ઉઘડો લીધો છે. જેથી પર્યાવરણવિદોને આશા બંધાઈ છે. પર્યાવરણ પ્રેમીઓ પણ GPCB પર મોટા આરોપ કરતા કહી રહ્યા છે કે GPCB ઉદ્યોગો અને રાજકીય નેતાઓનું કહ્યાગરું તંત્ર બની ગયું છે.
પર્યાવરણ પ્રેમીઓનું શું કહેવું છે?
પર્યાવરણ પ્રેમીઓ પણ GPCB પર આક્ષેપ કરી રહ્યા છે....પ્રદૂષણ નાથવાની જવાબદારી જેના શિરે છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજકીય નેતાઓ અને સરકારનું કહ્યાગરું તંત્ર બની ગયું છે એવો આક્ષેપ પર્યાવરણપ્રેમીઓ કરી રહ્યા છે.....આ ઉપરાંત 2014થી કેન્દ્ર સરકાર સાબરમતીના શુદ્ધીકરણ માટે નાણાં ફાળવે છે પરંતુ GPCB પોતાની ફરજ ચૂકે છે. GPCB વોટર એક્ટ અથવા તો એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ પગલાં લેવાના બદલે કોર્પોરેશનને નોટિસ ફટકારીને સંતોષ માને છે.. કારણ કે GPCBની ઉદ્યોગો સાથે સાંઠગાંઠ છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે...જો કે હવે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે GPCB સામે આકરું વલણ દાખવતા પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે....હવે સાબરમતી નદીની જાળવણી વ્યવસ્થિત રીતે થશે તેવી આશા પર્યાવરણ પ્રેમીઓમાં જાગી છે.
31 ઓગસ્ટના રોજ સુનાવણી વખતે હાઈકોર્ટે GPCBનો લીધો હતો ઉધડો
સાબરમતીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સત્તાધીશોને ટકોર કરી. અને કહ્યું કે જે નદી પર ગૌરવ લઈએ તે પ્રદુષિત થાય તો કેમ ચલાવી લેવાય. સત્તાની ટોચે બેસેલા અધિકારીઓ કેમ એકમોને છાવરે છે. હાઇકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અને કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ પર જઈ તપાસ કરી શકશે. હાઇકોર્ટે કહ્યું કે સાબરમતી નદીને પ્રદુષિત કરતા એકમોને છોડવામાં નહીં આવે. સાબરમતી ગુજરાતનું ગૌરવ છે અને દેશમાં ગંગા નદી પછી સૌથી વધુ સાબરમતી નદીને સાફ રાખવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે છતાં પણ સાબરમતીના દુશ્મનો સરેઆમ સાબરમતીને ગંદી કરી રહ્યા છે ત્યારે હવે હાઈકોર્ટ સાબરમતી નદીને લઈને મેદાને આવી છે. અને કહ્યું છે કે જે નદી પર ગૌરવ લઈએ તે પ્રદુષિત થાય તો કેમ ચલાવી લેવાય ?
24 ઓગસ્ટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ફટકાર
અગાઉ ગુજરાત હાઇકોર્ટે AMC અને GPCB સામે લાલઆંખ કરી અને સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો મામલે તંત્રનો ઉધડો પણ લીધો. હાઇકોર્ટે કહ્યું કે AMC અને GPCB પ્રદૂષિત એકમો સામે ગંભીરતા કેમ નથી લેતું?. હાઇકોર્ટે ખુલાસો કરવા AMC અને GPCBને નોટિસ આપી છે. અને કહ્યું છે કે સુએજ ટ્રીટ કર્યા વગર પાણી નદીમાં છોડાય તે ચિંતાજનક બાબત છે તેના પર કોઈ રોક કેમ નથી લગાવતું તંત્ર, મહત્વનું છે કે પીરાણા STPમાંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.જે બાદ આજની સુનાવણીમાં કોર્ટ મિત્રને સાબરમતીના નિરીક્ષણની જવાબદારી સોંપી દઈ અધિકારીઓના કામ બાબતે અનેક સવાલ કર્યા છે.
જજ પણ લઈ શકે છે વિઝિટ
સત્તાની ટોચે બેસેલા અધિકારીઓ કેમ એકમોને છાવરે છે તેવો વેધક સવાલ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ અગાઉ 25 ઓગસ્ટના રોજ પણ સાબરમતી પ્રદૂષણ મામલે હાઇકોર્ટે GPCB અને તંત્રને ફટકાર લગાવી હતી. અધિકારીઓ પર ભરોસો ન રાખતા હવે ખુદ જજ પણ કરી સાબરમતી નદીમાં થતાં પ્રદૂષણને રોકવા સાબરમતી નદીની વિઝિટ લઈ શકે છે. કોર્ટે પહેલાથી જ કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ તપાસ માટે નિમણૂક કરી દીધી છે ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોર્ટ મિત્ર સાથે જજ પણ આવા એકમોની વિઝીટ કરી શકે છે સાથે જ જે એકમો પ્રદુષિત પાણી છોડે છે તેનું નિરીક્ષણ કરવા કોર્ટ મિત્રને છૂટ કોર્ટ તરફથી આપી દેવામાં આવી છે.