ઑટો સેક્ટરમાં મંદીના કારણે દેશના વાહન ઉદ્યોગને છેલ્લા 21 વર્ષોમાં સૌથી ઓછા વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનામાં 1997-98 બાદ ઓછું વેચાણ થયું છે. આ વચ્ચે સરકાર તરફથી ઑટો ઇન્ડસ્ટ્રીઝમાં સુસ્તીને લઇને ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી છે.
મંદી માટે OLA-UBER જવાબદાર
મંદી મામલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઓટો સેક્ટર ઓટો-મોબાઇલ ઇન્ડસ્ટ્રી BS6 સ્ટાન્ડર્ડ અને મિલેનિયલ્સના માઇન્ડ સેટથી સૌથી વધુ પ્રભાવિત છે. સીતારમણનું માનીએ તો મિલેનિયલ્સ આજકાલ ગાડી ખરીદવાની જગ્યાએ OLA-UBER નો ઉપયોગ કરી રહ્યા છે.
Finance Minister Nirmala Sitharaman: Automobile industry is now affected by BS6 and the mindsets of millennial, who now prefer to have Ola or Uber rather than committing to buying an automobile pic.twitter.com/6KEecyopH3
આ રીતે નાણાં મંત્રીએ ઓટો સેક્ટરમાં ભારે મંદી માટે લોકોના માઇન્ડસેટમાં બદલાવ અને બીએ-6 મોડલને જવાબદાર ગણાવ્યું હતું. નાણાં મંત્રીએ કહ્યું કે, ઓટો મોબાઇલ સેક્ટરની સ્થિતિ માટે કેટલાય ફેક્ટર જવાબદાર છે. જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સાથે જોડાયેલ મામલે લોકોના માઇન્ડસેટ સામેલ છે.
લોકો EMI ના ભારમાંથી બચવા માગે છે: નાણાં પ્રધાન
ચેન્નાઇમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, આજકાલ લોકો કાર ખરીદવા અને EMI ભરવા કરતાં OLA-UBER જવું પસંદ કરે છે. જો કે, તેમણે સ્વીકાર્યું કે ઓટો ક્ષેત્ર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તેનો જલ્દી કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. નાણા મંત્રીએ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા નિમિત્તે ચેન્નાઇમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ વાત કરી હતી.