જો તમારા ઘરના લોકો પણ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો તપાસ કર્યા બાદ તેમના પર કાર્યવાહી થઈ શકે છે. સરકારનો પ્રયાસ છે કે જરૂરિયાતમંદ ખેડુતોને જ આ યોજનાનો લાભ મળે. પરંતુ જરૂરિયાતમંદ ખેડૂતોની સાથે સાથે ઘણા એવા લોકો પણ ખેડૂત પણ બની બેઠા છે જેમને ખેતી સાથે કંઈ લેવાદેવા નથી. હવે આ યોજનામાંથી આવા લોકોના નામ ટૂંક સમયમાં હટાવવાની તૈયારી ચાલી રહી છે.
કેન્દ્ર સરકાર એવા લોકોને શોધી રહી છે જેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ગેરલાભ લીધો છે. સરકારને ફરિયાદ મળી છે કે લોકો આ યોજનાનો મોટા પાયે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે. હવે તેમની સિસ્ટમ હેઠળ તપાસ કરવામાં આવશે.
એવા સમાચાર છે કે મોટા પાયે સરકારી કર્મચારીઓ અને સુખી સંપન્ન લોકો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ ખાટી રહ્યા છે જે કાયદાકીય રીતે ખોટું છે. સરકાર તપાસ કરી રહી છે કે આવા બનાવટી ખેડૂતોની એન્ટ્રી કેવી રીતે થઇ. પાન કાર્ડ વડે હાલના લાભાર્થીઓની તપાસ થશે. ઘણા એવા લોકો પણ 2000 રૂપિયાનો હપ્તો મેળવી રહ્યા છે જેઓ પોતે ઇન્કમ ટેક્સ ભરે છે અને તેમની આવક પણ વધારે છે.
કૃષિ મંત્રાલય અને ઈન્ક્મ ટેક્સ વિભાગની મદદ લેવામાં આવશે
આ તપાસ કૃષિ મંત્રાલય અને ઈન્ક્મ ટેક્સ વિભાગની મદદથી કરવામાં આવશે. અત્યારે એવા લોકો ખેડૂત બનીને લાભ લઈ રહ્યા છે જેમની પાસે ખેતી માટે જમીન નથી, અથવા એટલી જમીન છે, જે આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય નથી.
ઘણા એક જ ઘર અને એક જ પરિવારના ઘણા બધા સભ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જે નિયમની વિરુદ્ધ છે. નિયમ મુજબ આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતના નામે ખેતર હોવું જરૂરી છે. એટલું જ નહીં, જો જમીન દાદા અથવા ખેડૂતના પિતાના નામે હોય, તો પણ યોજનાનો લાભ મળશે નહીં.
શું છે નિયમ?
સરકારી કર્મચારીઓ અથવા નિવૃત્ત કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. વળી, જો કોઈની પાસે ખેતી માટે જમીન છે અને તેને 10,000 રૂપિયા માસિક પેન્શન મળે છે, તો આવા લોકોને યોજનાનો લાભ નહીં મળે.
ખેતીલાયક જમીન ઉપર ખેતી સિવાય અન્ય કોઈ કામ કરી રહ્યા હો તો પણ નહીં મળે લાભ
આ સિવાય રજિસ્ટર્ડ ડોકટરો, એન્જિનિયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેક્ટ અને તેમના પરિવારના સભ્યો પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. બીજી તરફ જો ખેડૂત નોંધાયેલ ખેતીલાયક જમીન ઉપર ખેતી સિવાય અન્ય કોઈ કામ કરી રહ્યો છે, તો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મળશે નહીં.
આ અંતર્ગત 2 હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાના દરે સહાય કરવામાં આવી રહી છે. જે ખેડુતોની પાસે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન છે તે જ આ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે. આ અંતર્ગત આવતા 5 વર્ષ સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારની યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીઓને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે.