કેન્દ્ર સરકારની રણનીતિના આધારે વ્યવસાયિક કંપનીઓને કોરોના વેક્સીન માટે ડેવલપર્સ સાથે કરાર કરવાની મંજૂરીને લઈને વિચાર થઈ રહ્યો છે. જેથી કંપનીઓ કર્મચારીઓને કોરોનાથી બચાવી શકે. મળતી માહિતી અનુસાર ભારતની મોટાભાગની વેક્સીન યોજના કેન્દ્ર સરકારની છે અને તેના માટે 50000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો કે એમ પણ કહેવાઈ રહ્યું છે કે 2021માં દરેક વ્યક્તિ વેક્સીન લઈ શકશે નહીં.
કોરોના વેક્સીનને લઈને વધુ એક વિચારણા
ભારતીય ઉદ્યોગ જગતને મળી શકે છે વેક્સીન
કર્મચારીઓને સેફ્ટી આપવા માટે મળી શકે છે મંજૂરી
અધિકારીઓનું કહેવું છે કે કંપનીઓને વેક્સીનને માટે મંજૂરી આપવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કેમકે સરકાર નક્કી કરવા ઈચ્છે છે કે પ્રમુખ આર્થિક બાબતોમાં કોઈ અસમંજસ ન આવે. પ્રસ્તાવને પ્રધાનમંત્રી કાર્યાલયથી સ્વીકૃતિ મળી ચૂકી છે.
સરકારનું ધ્યાન અર્થવ્યવસ્થા પર
ભારતમાં ઉદ્યોગ જગતની મોટી કંપનીઓ માટે એક અલગ ચેનલને મહત્વની માનવામાં આવે છે કેમકે પહેલી ત્રિમાસિકના જીડીપીમાં 23.9 ટકાના ઘટાડા બાદ સરકાર અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે જોર આપી રહી છે. મોદી સરકારની કોરોના અર્થવ્યવસ્થાને લઈને પ્રશ્નો આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર હજુ સુધી અનલોકના અનેક ચરણોની જાહેરાત કરી ચૂકી છે. દરેક ઉદ્યોગ ફરીથી શરૂ થઈ રહ્યા છે તેનાથી અર્થવ્યવસ્થા પાટા પર આવવાની શક્યતા છે.
કઈ કંપનીઓને મળી શકે છે વેક્સીન
હજુ આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી કે કઈ કંપનીઓ સીધી જ વેક્સીન ડેવલપર્સની પાસેથી ખરીદી કરી શકશે. અધિકારીઓએ સંકેત આપ્યા છે કે પેટ્રોલિયમ, સ્ટીલ, ફાર્મા, સીમેન્ટ અને કોલસા જેવા ઉદ્યોગને પરમિશન મળી છે. કેન્દ્ર પર નાણાંકીય દબાણ પણ ઘટશે. મળતી માહિતી અનુસાર રસીનો ઉપયોગ કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ કરાશે અને સાથે તેના આંકડા પણ કેન્દ્ર સરકાર પાસે રહેશે.
વેક્સીન બનાવી રહી છે આ કંપનીઓ
બ્રિટિશ સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય માટે વેક્સીન બનાવી રહેલી ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વેક્સીનના નિર્માણ માટેના ત્રીજા સ્ટેજમાં છે. ભારતીય દવા નિર્માતા કંપની ઝાયડસ કેડિલાએ 6 ઓગસ્ટે કોરોના વેક્સીનના બીજા સ્ટેજનું પરીક્ષણ શરૂ કર્યું છે. એક અન્ય ઘરેલૂ ફાર્મા કંપની ભારત બાયોટેકે પણ સપ્ટેમ્બરમાં વેક્સીનના બીજા ચરણની શરૂઆત કરી હતી.