રાજ્યમાં મગફળીકાંડ અને તુવેરકાંડ બાદ હવે પ્રકાશમાં આવેલા ખાતર કૌભાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ડીએપી ખાતરની પ્રતિબોરી દીઠ 600થી 800 ગ્રામ વજન ઓછું હોવાનું સામે આવ્યા બાદ ખાતર એક વ્યવસ્થિત પણે ચાલતા કૌભાંડ સામે શંકા ઉભી થઈ રહી છે. ત્યારે હવે રાજ્યના તમામ અનાજ ગોડાઉનમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.