પગાર વધારાની રાહ બધા જ લોકો કાગડોળે જોઇ રહ્યાં છે ત્યારે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે.
સરકાર કરવા જઇ રહી છે મોટો બદલાવ
મોદી સરકાર આપશે રાહત
હોળી પહેલા થઇ શકે છે મોટી જાહેરાત
માનવામાં આવી રહ્યું છે કે હોળી પહેલા સરકાર આ મુદ્દે કોઇ નિર્ણય લઇ શકે છે પરંતુ તે પહેલા સરકારે એક બીજો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓને ફાયદો થશે.
કોરોના કાળમાં સરકારી કર્મચારી ઘરની બહાર નહોતા નીકળી શક્યા. આ કારણથી તેમના પૈસા સિસ્ટમમાં ફસાઇ ગયા હતા. હવે સરકારે નિર્ણય કર્યો છે કે જો તમે કોરોનાકાળમાં કોઇ નવો વિમો કરાવ્યો છે તો તેનુ પ્રીમિયમ LTC સ્કીમમાં ક્લેમ કરી શકશો.
LTC સ્કીમમાં કરવામાં આવેલા બદલાવનો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ સિવાય રાજ્ય સરકારના કર્મચારીઓને પણ થશે. સમગ્ર દેશમાં સરકારી કર્મચારીઓ આ સ્કીમનો લાભ લઇ શકશે.
શું છે LTC વાઉચર સ્કીમ
કોરોનાકાળમાં મોદી સરકારે LTC સ્કીમ લોન્ચ કરી હતી. આ હેઠળ 12 ઓક્ટોબરથી 31 માર્ચ સુધી કોઇ પણ શોપિંગ જેના પર 12 ટકા કે તેનાથી વધારે જીએસટી આપ્યુ હોય તેના પર ઇન્કમટેક્સ છૂટનો દાવો કરવામાં આવી શકે છે. તે હેઠળ દરેક કર્મચારીને 10 હજાર રુપિયા કેશ આપવાનું પણ પ્રાવાધાન છે.
કોરોનાકાળમાં ઇન્ક્રીમેન્ટ પર રોક લગાવી હતી. જો આ મહિને સરકાર હાલ અને ગયા વર્ષના ઇન્ક્રીમેન્ટ 4+4નું એલાન કરે છે તો મોંઘવારી ભથ્થુ 25 ટકા સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકા મળી રહ્યું છે.
બજેટ બાદ સતત ડીએમાં વધારાની રાહ જોવાઇ રહી છે. ફેબ્રુઆરીમાં સંપૂર્ણ આશા છે કે સરકાર એલાન કરશે પરંતુ હજુ પણ રાહ જ જોવાઇ રહી છે.