ONGC- રિલાયન્સ ગેસ ચોરી કેસમાં સરકાર રિલાયન્સ વિરુદ્ઘ ફરી એકવાર કોર્ટમાં જવાની તૈયારીમાં મિનિસ્ટ્રી ઑફ લૉ એન્ડ જસ્ટિસેસ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કોર્ટના નિર્ણય વિરુદ્ઘ અપીલ નોંધાવવા અંગે પોતાની મંજૂરી આપી છે. ONGCના ગેસ વિસ્તારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા કથિતપણે ગેસ કાઢી લેવાના મામલે સરકાર દ્વારા રિલાયન્સ પાસેથી 1.50 અબજ ડૉલરની માગણીને મધ્યસ્થતા અદાલતે ફગાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગે જાણકારી આપી.
પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ આ સંબંધે મિનિસ્ટ્રી ઑફ લૉ એન્ડ જસ્ટિસ પાસેથી સૂચનો મંગાવ્યા હતા. સૂત્રોએ કહ્યુ કે લૉ એન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રી અનુસાર મધ્યસ્થતા અદારત દ્વારા બહુમતીથી આપવામાં આવેલા નિર્ણય ઉત્પાદન ભાગીદારી કરારના નિયમ અને શરતોનું ઉલ્લંઘન છે. તેમાં આવશ્યક કારણોના ઉણપ છે અને તે સાર્વજનિક હિતમાં નથી.
3 સભ્યોથી મધ્યસ્થતા અદાલતે જુલાઇમાં બહુમત સાથે નિર્ણય આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યુ છે કે રિલાયન્સ પોતાના વિસ્તારમાંથી નીકળતા કોઇપણ ગેસનું ઉત્પાદન અથવા વેચાણ કરી શકે છે. રિલાયન્સ તે ગેસને પણ કાઢી શકે છે જે તેની સાથે જોડાયેલા બીજા વિસ્તારોમાંથી તેનામાં આવી ગયો હોય. રિલાયન્સના વિસ્તારની પાસે જ ONGCનો પેટ્રોલિયમ-ગેસ વિસ્તાર આવેલો છે. આ ગેસને કાઢવા માટે તેને સરકારની મંજૂરી લેવાની પણ જરૂર નથી.
મિનિસ્ટ્રી ઑફ લૉ એન્ડ જસ્ટિસનું માનવું છે કે મધ્યસ્થા અદાલતે અનુબંધના દાયિત્વોને નજરઅંદાજ કર્યા છે. ગેસના એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવાની સૂચના સરકારે આપવાની જવાબદારીનું કંપની દ્વારા ઉલ્લંઘન કરવાની બાબત નજરઅંદાજ કરવામાં આવી છે. મંત્રાલય માને છે કે આ કેસમાં નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવશે.