બજેટ રજૂ કરવાને લઇ હવે માત્ર 3 સપ્તાહનો સમય બાકી છે. એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. ત્યારે કેન્દ્રીય બજેટની તૈયારી વચ્ચે પીએમ મોદીએ ટ્વીટ કરી અને લોકો પાસે બજેટને લઇ સલાહ સૂચનો માગ્યા છે.
બજેટ 2020ને લઇ પીએમનું ટ્વીટ
પીએમ મોદીએ દેશની જનતા પાસે માગ્યા સૂચનો
એક ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
5 જાન્યુઆરી MyGov હેન્ડલથી તેઓએ બજેટને લઇ ટ્વીટ કરી ખેડૂતોની હાલત અને શિક્ષણને સુધારવાના સંબંધિત સૂચનો માગ્યા હતા. જેને આજે પીએમ મોદીએ રિટ્વીટ કર્યું છે.
130 કરોડની જનતાના સુચનો આપવા કરી અપીલ
The Union Budget represents the aspirations of 130 crore Indians and lays out the path towards India’s development.
I invite you all to share your ideas and suggestions for this year’s Budget on MyGov. https://t.co/zVCL06TdLn
જેમાં તેઓએ કહ્યું કે બજેટમાં દેશની 130 કરોડ જનતાની આકાંક્ષા હોય છે અને આ દેશને વિકાસના રસ્તે લઇ જવા માટે હોય છે. હું દેશની જનતાને આમંત્રિત કરું છું કે તેઓ બજેટ માટે MyGov પર પોતાના સલાહ સૂચનો આપે.
1 ફેબ્રુઆરીએ રજૂ થશે મોદી સરકારનું બજેટ
આપને જણાવી દઇએ કે, સંસદનું બજેટ સત્ર આગામી 31 ડિસેમ્બરના રોજથી શરૂ થઇ રહ્યું છે અને એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21 માટે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવશે, આ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોચના 10 બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી અને અર્થવ્યવસ્થામાં સુધારો, રોજગારીમાં વધાર અને વિકાસ દર સહિત અન્ય વિષયો પર ચર્ચા કરી હતી.
દેશના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત
PM મોદી સાથેની બેઠકમાં જે ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા તેમાં 11.11 લાખ કરોડ રૂપિયાની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતું ટાટા ગ્રૂપના રતન ટાટા, 9.52 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતા રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી, 8.26 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતા ટીસીએસ ગ્રૂપના એન.ચંદ્રશેખર સહિત સજ્જન જિંદાલ, બાબા કલ્યાણી, સુનીલ મિત્તલ, આનંદ મહિન્દ્રા, ગૌતમ અદાણી, એ.એમ.નાઈક, વેણુ શ્રીનિવાસન અને અનિલ અગ્રવાલ હાજર રહ્યા હતા.
ત્રિમાસિક GDP ગ્રોથ 6 વર્ષના નીચા સ્તરે
જુલાઈ - સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 4.5 ટકાનો થયો છે. આરબીઆઈ અને રેટિંગ એજન્સીઓએ ઓક્ટોબર - ડિસેમ્બર ત્રિમાસિક અને આખા વર્ષના ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું સામાન્ય બજેટ રજૂ કરવાના છે. મંદ અર્થવ્યવસ્થાને વેગ આપવો એ આ બજેટની ચેલેન્જ રહેશે. હાલમાં જીડીપી દર 6 વર્ષના નીચા સ્તરે જોવા મળી રહ્યો છે. અગાઉ 2019માં મંદ પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કેટલાક ઉપાયોની રજૂઆત કરી હતી પણ કોર્પોરેટ કરના દરને 30થી 22 ટકા કરાયો છે.
અન્ય તરફ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ કહ્યું કે જીડીપીનું અનુમાન વધારવા માટે સરકારે ઈન્ડસ્ટ્રી પાસે સલાહ લેવી જોઈએ. જેના અનુસંધાનમાં PM મોદીએ આ બેઠક યોજી હતી. PM મોદી હાલ સુધી 60થી વધુ ઉદ્યોગપતિઓ અને કારોબારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે અને મંદ અર્થવ્યવસ્થાને ગતિ આપવા અંગેના સૂચનો પણ લીધા છે.