ઓડિશા સરકાર ભગવાન જગન્નાથના નામ પર રાજ્ય અને દેશના બીજા ભાગોમાં ફેલાયેલી 35 હજાર એકર જમીન વેચી રહી છે.ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે આ મુર્ખ હિંદુઓની ઉદાસીનતાનું પરિણામ છે.
ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે આ મુર્ખ હિંદુઓની ઉદાસીનતાનું પરિણામ
જગન્નાથ મંદિરના સંબંધિત 60, 426. 943 એકર ભૂમિની ઓળખ કરી
ભગવાનના નામ પર 1 હજાર કરોડ રુપિયાના લક્ષ્ય સુધી પહોંચવાની યોજના
ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે આ મુર્ખ હિંદુઓની ઉદાસીનતાનું પરિણામ
સરકારના આ પગલાનો હેતુ 12માં સદીના મંદિરના 650 કરોડ રુપિયાના ભંડોળને 2023 સુધી વધારીને 1 હજાર કરોડ રુપિયા કરવાનો છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મોહન લાલ માંઝીના એક સવાલના જવાબમાં કાયદા, આવાસ અને શહેરી આવાસ વિકાસ મંત્રી પ્રતાપ જેનાએ કહ્યું કે પૂર્વ રાજ્યપાલ બીડી શર્માની અધ્યક્ષતામાં ગઠિત એક કમિટી અને જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિ પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ રાજ્ય સરકારના મંદિરની 35, 272. 235 એકર જમીન વેચવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. મામલામાં ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે આ મુર્ખ હિંદુઓની ઉદાસીનતાનું પરિણામ છે.
જગન્નાથ મંદિરના સંબંધિત 60, 426. 943 એકર ભૂમિની ઓળખ કરી
જેનાએ કહ્યું કે અમે અત્યાર સુધી શ્રી જગન્નાથ મંદિરના સંબંધિત 60, 426. 943 એકર ભૂમિની ઓળખ કરી છે. જેમાંથી 395. 252 એકર બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં ઓડિશાની બહાર સ્થિત છે. ભૂમિની વસૂલી અને ભૂમિના રેકોર્ડને નિયમિત કરવા માટે પગલા ભરી રહ્યા છે. જગન્નાથ મંદિરના અધિકારીઓના અનુસાર અનેક ભક્તોએ અંતિમ ઈચ્છાના રુપે ભગવાનને જમીન દાન કરી હતી. પરંતુ અનેક વર્ષોમાં લોકોએ આ જમીન પર દબાણ કર્યું હતુ. જ્યારે ભગવાન જગન્નાથના નામ પર ભૂમિ ઓડિશાના 24 જિલ્લામાં ફેલાયેલી છે. 395. 252 એકર છ અન્ય રાજ્યોમાં જોવા મળી છે.
ભગવાનના નામ પર 1 હજાર કરોડ રુપિયાના લક્ષ્ય સુધી પહોંચવાની યોજના
જગન્નાથ મંદિરના સત્તાવાર રેકોર્ડ અનુસાર 17.02 એકર આંધ્ર પ્રદેશમાં છે. જ્યારે 322.93 એકર બંગાળમાં અને 28.218 એકર મહારાષ્ટ્રમાં છે. આ પ્રકારે 25.11 એકર મધ્ય પ્રદેશમાં બિહારમાં 0.274 એકર અને છત્તીસગઢમાં 1.70 એકરમાં સ્થિત છે. અમે આ જમીનોને પાછી મેળવવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોના સંપર્કમાં છીએ. ભૂમિ વેચવામાં આવશે અને તેનાથી અર્જિત ધનને પ્રભૂના નામ પર એક નિશ્ચિત જમાં રાશીમાં રાખવામાં આવશે. મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ અમે 2023 સુધી ભગવાનના નામ પર 1 હજાર કરોડ રુપિયાના લક્ષ્ય સુધી પહોંચવાની યોજના બનાવી છે.
વિશ્વ વિરાસત શહેરમાં બદલવા પર કામ કરી રહી છે સરકાર
30 વર્ષ, 20 વર્ષ અને 12 વર્ષના વધારે સમય સુધી ભગવાન જગન્નાથના નામ પર જમીન કબ્જો કરવાના ક્રમશઃ 6 લાખ, 9 લાખ અને 15 લાખ રુપિયા પ્રતિ એકડની ચૂકવણી કરીને પોતાના નામ પર દાખલ કરવાની તક મળી છે. આ દરમિયાન જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ અને પૂરી રાજા, ગજપતિ દિવ્યા સિંહ દેબે અનિવાસી ઓડિયોથી વાત કરી છે અને મંદિરના સમગ્ર વિકાર માટે તેમનો સહયોહ માંગ્યો છે. ઓડિશા સરકાર પુરીએ 3 હજાર કરોડ રુપિયાથી વધારે અંદાજીત ખર્ચ પર વિશ્વ વિરાસત શહેરમાં બદલવા પર કામ કરી રહી છે.