બિહારમાં નીતીશ કેબિનેટના વિસ્તરણ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે મંગળવારે નીતીશ કુમાર કેબિનેટની એક બેઠક મળી હતી. જેમાં બેઠકમાં કુલ 18 એજન્ડા પર મહોર લગાવાઈ છે. આ તમામ એજન્ડામાં, શિક્ષણ વિભાગને લગતા સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણય પછી, બિહારમાં ધોરણ 12 પાસ કરવા પર વિદ્યાર્થિનીઓને 25000 અને ગ્રેજ્યુએટ થવા પર 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે.
સીએમ નીતિશે સાત નિશ્ચય ભાગ -2ણીકરી હતી જાહેરાત
નોંધપાત્ર વાત એ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન સીએમ નીતીશ કુમારે સાત નિશ્ચય ભાગ -2 ની જાહેરાત કરી હતી, જેમાં તેમણે રાજ્યમાં મહિલા સશક્તિકરણ અંગેના વચનો આપ્યા હતા. સરકારની રચના બાદ હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે તેનો અમલ શરૂ કરી દીધો છે. મહત્વનું છે કે અગાઉ રાજ્ય સરકાર અપરિણીત દિકરીઓને 10 હજાર અને ગ્રેજ્યુએટ પાસ દીકરીઓને 25 હજાર રૂપિયા આપતી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ મહત્વપૂર્ણ એજન્ડા નીચે મુજબ છે.
1. કેબિનેટની બેઠકમાં ફરજમાંથી ગેરકાયદેસર ગેરહાજર રહેવાના આરોપસર કુલ છ મેડિકલ અધિકારીઓને બરતરફ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
2. કિશનગંજની વેટરનરી અને એનિમલ કોલેજ માટે 208 શૈક્ષણિક અને વહીવટી જગ્યાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે.
3. બિહારના તમામ મ્યુનિસિપલ વિસ્તારો હેઠળ બાંધવામાં આવેલા તમામ ઉદ્યાનોને જાળવવા અને વિકસાવવા માટે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.