નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRCના વિરુદ્ધ દેશભરમાં થઇ રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે ઇશારો કર્યો છે કે, હાલ એનઆરસીને હોલ્ડ પર રાખવામાં આવી શકે છે. સરકાર તેને લઇને કોઇ ઉતાવળ કરવાના મુડમાં નથી.
નાગરિકતા કાયદાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન
સરકારે આપ્યા સંકેત, એનઆરસીને હોલ્ડ પર રાખવામાં આવી શકે છે
લખનઉમાં હિંસાની ઘટનાને લઇને સરકાર ખુબ જ ચિંતિત છે
એક સરકારી જાહેરાતમાં સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો ક્યારેય તેની (NRC) જાહેરાત કરવામાં આવે છે, તો એવી સ્થિતિમાં નિયમ અને નિર્દેશ એવા બનાવવામાં આવશે કે કોઇપણ ભારતીય નાગરિકને મુશ્કેલી ન પડે. સરકારની આ જાહેરાતથી સ્પષ્ટ સંકેત મળે છે કે, હાલ NRC ને હોલ્ડ પર નાંખવાની તૈયારી છે.
નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) ની વિરુદ્ધ ગુરુવારે પણ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા. પટના, દિલ્હી, લખનઉ સહિત ઘણા નાના-નાના શહેરોમાં પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તાઓ પર પ્રદર્શન કરવાના સમાચાર મળી રહ્યા છે.
“अगर कभी इसकी (एनआरसी) घोषणा की जाती है”- सरकार के इस विज्ञापन ने साफ इशारा कर दिया है कि एनआरसी ठंडे बस्ते में जाने की तैयारी में है। एनआरसी के खिलाफ बड़े पैमाने पर चले अभियान के बाद लगता है कि इसे लेकर सरकार जल्दबाज़ी में नहीं है। pic.twitter.com/ou7jwpUOEC
જ્યારે દિલ્હીમાં આ નવા કાયદાની વિરુદ્ધ પ્રદર્શનકારીઓની વધતી સંખ્યાને જોતા દિલ્હી મેટ્રોના લગભગ 20 સ્ટેશન બંધ કરવા પડ્યા. જ્યારે દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું કે, લખનઉમાં હિંસાની ઘટનાને લઇને સરકાર ખુબ જ ચિંતિત છે.