ગીર સોમનાથઃ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. જેના કારણે કોંગ્રેસના ધારસભ્યો ભૂખ હડતાળ પર બેઠા છે.
આજે બીજા દિવસે પણ ધારાસભ્યોની ભૂખ હડતાળ યથાવત છે. કલેક્ટર કચેરીની બહાર ખેડૂતો સાથે કોંગ્રેસના ધારાસભ્યો હડતાળ પર બેઠા છે. મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો હડતાળ પર ઉતર્યા છે.
રાજ્યના મગફળી પકવતા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ગઇ લાભ પાંચમ 25 ઓક્ટોબરથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી હતી. 31 મે સુધી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે હવે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને બંધ કરી દેવામાં આવી છે. જે ખેડૂતો પાસે હજી સુધી મગફળી તે ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે.