મોદી સરકારે દેશભરનાં કરોડો સરકારી કર્મચારીઓને મોટી ગિફ્ટ આપી છે. હકીકતમાં સરકાર નેશનલ પેન્શન સ્કિમ (NPS)માં પોતાનું યોગદાન વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ સોમવારનાં રોજ સ્કીમમાં ફેરફારોની જાહેરાત કરી.
NPSમાં યોગદાન ચાર ટકા વધ્યું:
સરકારે NPSમાં યોગદાન ચાર ટકા વધીને 14 ટકા કરવાની સાથે જ રિટાયરમેન્ટ બાદ નિકાળવામાં આવેલ 60 ટકાની રકમને ટેક્સ-ફ્રી કરી દીધેલ છે. જો કે કર્મચારીઓનું ઓછામાં ઓછું યોગદાન 10 ટકા બની રહેશે. જેટલીએ કર્મચારીઓનાં 10 ટકા સુધીનાં યોગદાન માટે આયકર કાયદાકીય ધારા 80 C અંતર્ગત કર પ્રોત્સાહનની પણ જાહેરાત કરી. જો કે સરકાર તથા કર્મચારીઓનું યોગદાન NPSમાં 10-10 ટકા છે. કર્મચારીઓનું ન્યૂનતમ યોગદાન 10 ટકા પર બની રહેશે. જ્યારે સરકારનું યોગદાન 10 ટકાથી વધીને 14 ટકા કરી દેવામાં આવેલ છે.
60% એમાઉન્ટ ટ્રાન્સફરની મંજૂરીઃ
નાણાંમંત્રીએ કહ્યું કે સરકારી કર્મચારી રિટાયરમેન્ટનાં સમયે કુલ પેન્શન ફંડનાં 60 ટકા નીકાળી શકશે. બાકી 40 ટકાનું રોકાણ નિશ્ચિત આવક ઉત્પાદકો અથવા શેર ઇક્વિટીમાં કરી શકાય છે. પહેલાં 40 ટકા રકમ જ નિકાળવાની જોગવાઇ હતી. નાણાંમંત્રીએ કહ્યું કે જો કર્મચારી સેવાનિવૃત્તિને સમયે NPSમાં જમા ધનનો કોઇ પણ ભાગ નિકાળવાનો નિર્ણય નથી કરતા અને 100 ટકા પેન્શન યોજનામાં હસ્તાંતરિત કરે છે તો તેનું પેન્શન અંતિમ વેળાએ પ્રાપ્ત વેતનનાં 50 ટકાથી વધારે થશે.
શું છે NPS?
હકીકતમાં નેશનલ પેન્શન સ્કિમ (NPS) એક રિટાયરમેન્ટ એકાઉન્ટ છે. આની શરૂઆત ભારત સરકારે 1 જાન્યુઆરી 2004નાં રોજ હતી. પહેલા આ સ્કીમ માત્ર સરકારી કર્મચારીઓને માટે શરૂ કરવામાં આવી હતી. જો કે 2009 બાદ આને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓને માટે પણ શરૂ કરવામાં આવેલ છે. તમને અહીં જણાવી દઇએ કે NPS એકાઉન્ટ ખોલાવવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 65 વર્ષ છે.