વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે મોટું નિવેદન કરી સરકાર સમક્ષ માગણી કરી છે કે, સરપંચ અને તાલુકા-જીલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને વેતન આપવું જોઈએ
નવા એક મુદ્દે મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં
વિધાન સભામાં સરકાર સામે નવી માગણી
'સરપંચ, તાલુકા-જિલ્લામાં ચૂંટાયેલાને વેતન'
વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે મોટું નિવેદન કરી સરકાર સમક્ષ માગણી કરી છે કે, સરપંચ અને તાલુકા-જીલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને વેતન આપવું જોઈએ. આ અગાઉ પણ મધુ શ્રી વાસ્તવ પોતાના 'તેવર'દર્શાવી ચુક્યા છે. પછી તે વય મર્યાદાના કારણે ટીકીટ ના મળવાનો મુદ્દો હોય કે પછી,કલેકટર,કમિશનર વિસ્તારના કામ પર દાદ ના દેતા હોવાની રાવ હોય. શ્રી વાસ્તવે હંમેશા તાતા-તીર જ છોડ્યા છે.
ગુજરાતમાં ચૂંટાયેલા સરપંચ કે તાલુકા-જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને વેતન મળવું જોઈએ.રાજ્ય સરકાર કોઈ પણ સરપંચને સરકાર પગાર નથી આપતી. તેમ કહી વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે,આવા તમામ પ્રતિનિધીઓને વેતન આપવાની માંગ કરી છે.તેમને ઉમેર્યું કે, આ યોગ્ય નથી અને આવા પ્રતિનિધીઓને માસિક વેતન મળવું જોઈએ. આ મુદ્દે હું ગાંઘીનગર વિધાન સભામાં રજૂઆત કરીશ કે,ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને વેતન મળવું જ જોઈએ