દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોરોના વાયરસના બંન્ને ડોઝ લગાવી ચૂકેલા લોકો માટે બૂસ્ટર ડોઝ લગાવવાની માગવાળી અરજી પણ સૂનાવણી કરી હતી.
દેશમાં સતત વધી રહ્યો છે ઓમિક્રોન
બૂસ્ટર ડોઝ મામલે કેન્દ્ર સરકારનો હાઇકોર્ટમાં જવાબ
કહ્યું- પહેલા અમારી પ્રાથમિકતા બધા નાગરિકોને વેક્સિનના બંન્ને ડોઝ આપવાની
આ દરમિયાન કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં એક ટૂંકી એફિડેવિટ ફાઈલ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેપ્યુટી ટાયરેક્ટર રામ કેશ દ્વારા ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની પ્રાથમિકતા હજી દેશની સંપૂર્ણ વસ્તીને વેક્સિનના બંન્ને ડોઝ આપવાની છે. નોંધનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટને લઈને બૂસ્ટર ડોઝ લગાવવાની માગણી છેલ્લા કેટલાક સમયગાળાથી કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે કોર્ટમાં આપ્યો જવાબ
કેન્દ્ર સરકારનું કહેવું છે કે, બૂસ્ટ ડોઝના મામલો 2 એક્સપર્ટ બોડી NTAGI અને NEGVAC ના વૈજ્ઞાનિક પ્રમાણોનો વિચાર કરી રહ્યા છે. ત્યારબાદ બૂસ્ટર ડોઝની આવશ્યકતા અને વ્યાજબી રીતે કોવિડ-19 વેક્સિનના બૂસ્ટર ડોઝના શેડ્યૂલ પર વિચાર કરવામાં આવશે. સરકારે અદાલને એવું પણ સૂચિત કર્યું છે કે, વર્તમાનમાં ફૂલી વેક્સિનેટેડ લોકોને બૂસ્ટર ડોઝ આપવા માટે કોઈ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા નથી. જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન પ્રાથમિકતા દેશના તમામ લોકોને કોવિડ રસીના બંન્ને ડોઝ આપવાની છે.
રસી દ્વારા મળનારી ઇમ્યૂનિટીની સમય મર્યાદાની જાણકારી પુરતી નથી
સરકારે કહ્યું કે ભારતમાં કોવિડ રસી દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારક શક્તિની અવધિ વિશે વર્તમાન માહિતી સીમિત છે. આવી સ્થિતિમાં, આ વિશે વધુ માહિતી સમય પછી જ ઉપલબ્ધ થશે. સરકારે જસ્ટિસ વિપિન સાંઘી અને જસમીત સિંહની બેન્ચને એમ પણ કહ્યું કે કોવિડ-19ની જૈવિક વિશેષતાઓ સંપૂર્ણ રીતે જાણીતી ન હોવાથી, કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝની યોગ્યતા અને આવશ્યકતા અંગે નિર્ણય લેવાનો બાકી છે.
કેન્દ્ર સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો કોર્ટે આપ્યો આદેશ
છેલ્લી સુનાવણી પર જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની કોર્ટે કહ્યું હતું કે જ્યાં પશ્ચિમી દેશો તેમના નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની પેરવીમાં છે. તે જ સમયે, ભારતીય નિષ્ણાતો માને છે કે બૂસ્ટર ડોઝ અંગે અત્યાર સુધી કોઈ તબીબી પુરાવા અસ્તિત્વમાં નથી. જણાવી દઈએ કે કોરોના વાયરસના બદલાયેલા પ્રકારોને ધ્યાનમાં રાખીને, દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં બંને ડોઝ લેનારા લોકો માટે બૂસ્ટર ડોઝની માંગ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરીને 25 નવેમ્બર 2021ના રોજ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો.