નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સહિત અન્ય નાની બચત પર સરકારે જૂલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટ માટે વ્યાજ દરમાં 0.10% ઘટાડો કર્યો છે.
બેંકિગ ક્ષેત્રમાં વ્યાજ ઘટી રહેવાને કારણે સરકાર દ્વારા આ પગલુ ભરવામાં આવ્યુ છે. ભારતીય રિઝર્વ બેંક પોતાના નીતિગત દરમાં 0.75% ઘટાડો કરી ચૂકી છે.
બચત ખાતામાં જમા પર વ્યાજ દર છોડીને સરકારે તમામ અન્ય યોજનાઓના વ્યાજ દરમા 0.10%ની ઘટાડો કર્યો છે. બચત જમા ખાતા પર વ્યાજ દર 4% વાર્ષિક મળશે. નાણામંત્રાલય દ્વારા 2019-20ના બીજા ક્વાર્ટર માટે વ્યાજ દરો જાહેર કર્યા છે.
PPF અએ NSC પર વ્યાજ:
આ ઘટાડા પછી PPF અએ NSC પર વ્યાજ દરમાં 7.9% થશે, જે અત્યારે 8% છે. જે લોકો 113 મહિનાની મેચ્યોરિટીવાળા કિસાન વિકાસ પત્રમાં રૂપિયા રોકે છે તેમને 7.6% વ્યાજ મળશે. હાલમાં આ વ્યાજ દર 7.7% જેટલો છે.
સુકન્યા સમુદ્ઘિ યોજના:
સુકન્યા સમુદ્ઘિ યોજનામાં હવે 8.4% મળશે, જે પહેલા 8.5% હતુ. 1-3 વર્ષના ગાળા માટે જમા કરાવવા પર 6.9% અને 5 વર્ષના ગાળા માટે 7.7% વ્યાજ મળશે. સીનિયર સીટિઝને સેવિંગ્સ સ્કીમ પર 8.6% વ્યાજ છે જે પહેલા 8.7% હતુ.