ગુજરાત સરકારે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી આ ગાઈડ લાઈનનો અમલ આવતી કાલથી થશે અને આ ગાઈડલાઈને 17 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાની સ્પષ્ટતા
લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી અપાઇ
જાહેર કાર્યક્રમોમાં 400 લોકો એકઠા થઇ શકશે
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે જેને લઈ સરકાર દ્વારા નિયમોમાં તેમજ રાત્રિ કર્ફ્યૂમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકારે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી અપાઇ
ગુજરાત સરકારે લગ્ન પ્રસંગમાં હાજરી આપતા લોકોને સંખ્યને લઈ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી આપી છે, જ્યારે સામાજિક કાર્યક્રમમાં મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે આમ લગ્ન પ્રસંગને સામાજિક પ્રસંગ ન ગણીને સરાકારે માત્ર 150 લોકોને મંજૂરી આપી છે જ્યારે મરણ પ્રસંગમાં 40 લોકોને જ સરકારે મંજૂરી આપી છે.
કોવિડ ગાઈડલાઈન અંગે સરકારે કરી સ્પષ્ટતા
જોકે આ અગાઉ રાજયમાં જાહેર સમારંભો તેમજ ખુલ્લી જગ્યામાં યોજવામાં આવતા પ્રસંગો જેવાં કે લગ્ન પ્રસંગ કે જેમાં 200 વ્યક્તિઓની પહેલાં મર્યાદા રાખી હતી જેને 31 જુલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી હતી. પરંતુ હવે સરકારે એકાએક ફેરવી તોડી તેમાં ફેરફાર કર્યો છે અને લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ચૂંટણીઓ જેવા જાહેર સમારંભમાં 400ને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી ગાઈડલાઈનને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનમાં લગ્ન પ્રસંગમાં 150 અને સામાજિક કાર્યક્રમમાં 400 લોકોને પરવાનગી અપાઈ છે. જેને લઈ રાજકારણ શરૂ થયો છે. આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના કાર્યક્રમ કરવા માટે સામાજિક કાર્યક્રમમાં વધુ લોકોને મંજૂરી અપાઈ છે. જ્યારે અતિ મહત્વના લગ્ન માટે 150ની મર્યાદા અન્યાય સમાન છે. ઉજવણી કરવા માટે કોવિડ પ્રોટોકોલનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાત્રિ 11 થી સવારના 6 વાગે સુધી રહેશે કર્ફયુ
અગાઉ રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ રહેશે એવો નિર્ણય લેવાયો હતો. જોકે અમદાવાદ સહિતના આઠેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખ્યો છે જ્યારે રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપી છે. જ્યારે હોટલ રેસ્ટોરેન્ટને 10 વાગે સુધી મંજુરી આપવામાં આવી છે. સરકારની આ નવી ગાઈડ લાઈનનો અમલ આવતી કાલથી થશે અને આ ગાઈડલાઈને 17 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
કોરોના કેસ ઘટના નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.પરતું હજુ પણ કોરોનાની સંભિવતી ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે જેને લઈ સરકાર દ્વારા નવું જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયુ નથી. ત્યોર કોરોના સમયમાં મુકવામાં આવેલા આકરા પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે.