લોકડાઉન બાદ અનેક જગ્યાએ ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવાની માંગણી વધી છે. રાજ્ય સરકાર જ નહીં સ્થાનિક સાંસદો પર પણ દબાણ વધ્યું છે. ત્યારે શક્યતાઓ શોધવામાં આવી રહી છે કે કેવી રીતે આ લોકોને વતન મોકલી શકાય. આનું સૌથી મોટું માધ્યમ રેલવે છે. ત્યારે રેલવે પણ પોતાની રીતે આ જ તૈયારીમાં લાગ્યુ છે. જો કેન્દ્ર સરકાર તેના માટે લીલી ઝંડી આપે છે. તો સ્પેશિયલ ટ્રેન ગ્રીન ઝોનમાં દોડી શકે છે. જોકે રેલવેએ આ માટે સ્પષ્ટ ના પાડી દીધી છે પણ રેલવે ખાતુ પુરી તૈયારી કરીને બેઠુ છે.
ટ્રેન દોડાવશે સરકાર, પણ હજું સુધી કોઈ નિર્ણય નહી
આજે સીએમ સાથેની પીએમની બેઠકમાં થઈ શકે છે નિર્ણય
રેલવે સરકારના તમામ નિર્ણયો પર કામ કરવા સજ્જ છે
સોમવારે પ્રધાનમંત્રીની સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓ ઓનલાઈન કોન્ફરન્સિંગ થવાની છે. ત્યારે શક્ય છે કે કેટલાક રાજ્યો અનેક જગ્યાએ ફસાયેલા લોકોને પોતાના રાજ્યોમાં પરત લાવવા ચર્ચા કરશે. આ સ્થિતિમાં રેલવે કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવી શકે છે. જેથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય.
રેલવેના સૂત્રોના જણાવ્યાનુંસાર જો સ્પેશિયલ ટ્રેન ચાલે છે તો રસ્તામાં આ ટ્રેન ન ક્યાંય રોકાશે ન પ્રવાસી ટ્રેન રોકી શકશે. ટ્રેન એક નિશ્ચિત સ્થળથી ચાલશે અને ત્યાં જ રોકાશે જ્યાં નક્કી કરવામાં આવ્યુ છે.
આ સ્પેશિયલ ટ્રેનમાં કોણ પ્રવાસ કરશે તેની પરવાનગી રાજ્ય સરકાર તરફથી મળશે. પ્રવાસ માટે કોઈ પણ રકમ પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં નહીં આવે. કોરોના વાયરસનો ફેલાતો અટકાવવા ટ્રેનમાં જ નહીં પણ સ્ટેશન પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. ટ્રેન અગર ચાલશે તો નોન એસી હશે અને તેમાં વચ્ચે બેસવાની પરવાનગી નથી. સ્પેશિયલ ટ્રેનની સાથે એક આઈસોલેટેડ કોચ પણ રહેશે. જેમાં ડૉક્ટરોની ટીમ રહેશે. રેલવેના અધિકારીઓએ કહ્યુ કે હજું સુધી તેને ચલાવવાની કોઈ યોજના નથી.
જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે રેલવેની તૈયારી દરેક સમયે રહે છે. ટ્રેન ચલાવવા માટે સૌથી પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની પરવાનગી જોઈશે. હાલમાં કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. જ્યારે પણ ટ્રેન ચાલશે. તેની નોટિસ જાહેર કરવામાં આવશે. કોરોનાને લીધે વિભાગ નિર્ણય નથી લઈ શકતો.