રવિ પાકની વાવણી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકાર ફોસ્ફોટિક અને પોટાસિક ખાતરો પર 51,875 કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે.
સરકાર ખેડૂતોને આપી રહી છે ભેટ
રવિ પાક માટે ખાતરમાં આપશે સબસીડી
51,875 કરોડ રૂપિયાની સબસિડી થઇ મંજુર
રવિ પાકની વાવણી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકાર ફોસ્ફોટિક અને પોટાસિક ખાતરો પર 51,875 કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે. સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોને નાઈટ્રોજન (N) 98.02, ફોસ્ફરસ (P) 66.93, પોટાશ (K) 23.65, સલ્ફર (S) 6.12 પ્રતિ કિલો સબસિડી મળશે.
ખાતરના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો સરકાર ભોગવી રહી છે
કેન્દ્ર સરકારે રવિ-2022 (01 ઓક્ટોબર 2022 થી 31 માર્ચ 2023 સુધી)ના પાક માટે જાહેર કરેલી આ સબસિડી પર રૂ. 51,875 કરોડ ખર્ચવા પડશે. તમામ ફોસ્ફેટ અને પોટાસ ખાતરો સબસીડીવાળા/ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ઘણી મદદ મળશે. તમને જણાવી દઈએ કે ખાતર અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે.
સરકાર આપી રહી છે સબસીડી
સરકાર ખેડૂતોને ફોસ્ફેટ અને પોટા ખાતર માટે યુરિયા અને 25 ગ્રેડના ખાતરો સબસિડીવાળા ભાવે પૂરી પાડે છે. ફોસ્ફેટ અને પોટાસ ખાતર પર સબસીડી આપવાની પ્રક્રિયા એપ્રિલ 01, 2010 થી ચાલુ છે. આ રીતે, ખાતર કંપનીઓને માન્ય દરો મુજબ સબસિડી આપવામાં આવશે, જેથી તેઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર આપી શકે. જણાવી દઈએ કે આ વર્ષના પહેલા છ મહિનામાં પણ કેન્દ્ર સરકારે ફોસ્ફોટિક અને પોટાસિક ખાતરો પર 60939.23 રૂપિયાની સબસિડી આપી હતી.
ઘણા રાજ્યોમાં ખાતરની અછત
આ તમામ નિર્ણયો બાદ પણ દેશના અનેક રાજ્યોમાં ખાતરની અછત છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાંથી ખાતરને લઈને ઘર્ષણના અહેવાલો છે. જો કે, સરકારના જણાવ્યા મુજબ, તેઓ ખાતર વિતરણ કેન્દ્રો પર યોગ્ય જથ્થામાં ખાતર સપ્લાય કરી રહ્યા છે.