આજના દિવસે કેટલાક લોકોને આકસ્મિક ધનલાભ થવાના પ્રબળ યોગ છે. આ લોકોને માતા પિતાને સુખના દિવસો આપવાનો અવસર મળશે.
આજનું પંચાંગ
23 04 2022 શનિવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ
નક્ષત્ર ઉત્તરાષાઢા (સાંજે 06.52 પછી શ્રાવણ)
યોગ સાધ્ય
કરણ બાલવ (સાંજે 05.25 પછી કૌલવ)
રાશિ મકર (ખ,જ)
----------------------
દેવ-દર્શન :- બાળ હનુમાન
જામનગરમા તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલાહનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ રામધૂનનો પ્રારંભ કરાયો હતો. જે રામધુન અવિરત ચાલુ છે, અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે રામધુન ને આજે ૫૬ વર્ષ પૂર્ણ થયા છે,
બિહાર થી દ્વારકા તરફ જઈ રહેલા પ્રેમભિક્ષુજી મહારાજ એ જામનગર માં 1 ઑગસ્ટ, 1964થી પર્ણકુટી બાંધી રામનામની અલખ જગાવી હતી. જામનગરમાં બલાહનુમાન મંદિરે જ્યાં રામનામની અખંડ રામધૂન 57 વર્ષથી 24 કલાક રાત દિવસ અખંડ ચાલી રહી છે. ભાવિકો શ્રીરામ જયરામ જયજયરામ ના જપ ચાલી રહ્યા છે. છેલ્લા 58 વર્ષથી પાકિસ્તાન સાથેના યુદ્ધ હોય કે, વાવજોડા,ભૂકંપ અને અન્ય આપત્તિઓ વચ્ચે પણ દરરોજ અખંડ રામધૂન નું સતત આસ્થા ભેર સંગીત સાથે ભાવિકો ગાયન કરે છે.
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
---------------------------------------
રાશિ મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણ માટે સારો સમય છે
માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે
સફળતાના સારા અવસરો મળશે
સુખને વહેંચવાનો અવસર મળશે
વૃષભ (બ.વ.ઉ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે
ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે
ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે
પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે
મિથુન (ક.છ.ઘ.)
સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે
સંબંધીઓ સાથે સંબંધો મધુર બનશે
પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે
મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે