કોરોના વાયરસનાં કારણે દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોનાં ઘરમાં રહેવાથી કોરોના ખતરો તો ટળી જ જાય છે સામે વાતાવરણને પણ તેનો ફાયદો થઇ રહ્યો છે. દેશમાં પહેલીવાર માત્ર 2 શહેરોની હવામાં પ્રદુષણ હતું બાકીનાં બધા જ શહેરોમાં હવા ખૂબ જ શુદ્ધ રહી હતી.
અમદાવાદ સહીતનાં શહેરોમાં હવા શુદ્ધ બની
બે શહેરોની છોડીને બધા જ શહેરોમાં ખુલી હવામાં શ્વાસ લઇ રહ્યા છે લોકો
લોકડાઉનના કારણે દેશનાં શહેરો પર સકારાત્મક અસર
દેશમાં 104માંથી બે શહેરોની હવા બુધવારનાં રોજ ખૂબ શુદ્ધ બની રહી હતી. આ પહેલીવાર થયું છે જ્યારે ભારતનાં બધા જ શહેરોમાં હવા આટલી શુદ્ધ બની રહી હોય. દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 77 અંક પર રહ્યો જે સંતોષજનક કહી શકાય.
કોરોના વાયરસની દહેશતનાં કારણે દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદ રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. વાતાવરણમાં તેનો ખૂબ સારો પ્રભાવ દેખાઈ રહ્યો છે. લોકડાઉનનાં કારણે વાહનોની સંખ્યામાં ઘટાડો આવતા પીએમ 2.5 અને નાઈટ્રોજન ઓક્સાઈડમાં ભારે ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી સંસ્થા સફરમાં મુંબઈ, પૂણે, અમદાવાદ અને દિલ્હીમાં પ્રદૂષણ ઘટવાના અહેવાલ સામે આવ્યા હતા. બુધવારે પણ આ જ રીતે સમગ્ર દેશની હવા શુદ્ધ બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દરરોજ વાયુ ગુણવત્તા બુલેટિન જાહેર કરવામાં આવે છે. બુધવારે માત્ર બે શહેરોમાં વાયુ ગુણવતા સારી ન હતી.
બુધવારે માત્ર લખનૌ અને મુજફ્ફરપુરમાં જ વાયુની ગુણવત્તા ખરાબ રહી હતી. આ સિવાય લુધિયાણા, જલંધર, કોચી, પંચકૂલા, ચેન્નઈમાં હવાની ગુણવત્તા ખૂબ સારી રહી હતી. દેશની રાજધાની દિલ્હી હવા પ્રદૂષણની હાલત ખૂબ દયનીય હોય છે પરંતુ લોકડાઉનનાં કારણે દિલ્હીની જનતા હાલ ખુલી હવામાં શ્વાસ લઇ રહ્યા છે. દિલ્હીમાં આખા વર્ષમાં માત્ર 2 3 વાર જ આવી તક આવતી હોય છે જ્યારે હવા આટલી શુદ્ધ હોય.