ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીને હવે 4000 રૂપિયાનો હપ્તો મળશે.
ખેડૂતોને મળશે 12000 રૂપિયા
મોદી સરકાર લઈ શકે મહત્વનો નિર્ણય
6000ની જગ્યા પર વાર્ષિક 12000 રૂપિયા મળશે
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લઈ રહેલા લાભાર્થીઓ માટે ખુશ ખબર છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી સરકાર ખેડૂતોને મળતી સુવિધાને ડબલ કરવાનું વિચારી રહી છે. જો આમ થયું તો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની જગ્યા પર 12000 રૂપિયાનો હપ્તો મળી શકે છે.
આ રીતે ઉઠાવો લાભ
જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો ફટાફટ તેના માટે રજીસ્ટ્રેશન કરાવી લો. નહીં તો આ તક હાથમાંથી છૂટી શકે છે. આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ સરળ છે. તમે ઓનલાઈન ઘરે બેઠા આ પ્રોસેસ પુરી કરી શકો છો. આ ઉપરાંત તમે પંચાયત સચિવ અથવા નજીકના સરકારી ઓફિસ જઈને આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આ રીતે કરવાનું રહેશે રજીસ્ટ્રેશન
સૌથી પહેલા PM Kisanની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
ત્યા તમને Farmers Corner પર જવાનું રહેશે.
અહીં તમને ‘New Farmer Registration’ના વિકલ્પ પર ક્લિક કરો.
ત્યાર બાદ આધાર નંબર નાખવાનું રહેશે.
તેની સાથે જ કેપ્ચા કોડ નાખીને રાજ્યને ચુકવવાનો રહેશે અને ફરી પ્રોસેસને આગળ વધારવાનું રહેશે.
આ ફોર્મમાં તમારે સંપૂર્ણ પર્સનલ જાણકારી ભરવાની રહેશે.
સાથે જ બેન્ક એકાઉન્ટનું વિવરણ અને ખેતર સાથે જોડાયેલી જાણકારી ભરવાની રહેશે.
ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે હાલમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમ સાથે મુલાકાત પણ કરી હતી જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમને બેધણી વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે હજુ તેના પર કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો.