પ્રધાનમંત્રી મોદીએ તમામ ટોક્યોમાં જીતનારા ભારતીય ખેલાડીઓને કરી હતી અપીલ
પીએમ મોદીએ 16 ઓગસ્ટે પોતાના આવાસ પર ટોક્યો ઓલમ્પિયન સાથે મુલાકાત દરમિયાન ભારતીય ઓલમ્પિક અને પેરાઓલમ્પિકને અપીલ કરી હતી કે તેમાંથી પ્રત્યેક 2023માં સ્વંતંત્રતા દિવસ પહેલા 75 શાળાઓની મુલાકાત કરે અને કુપોષણ વિરૂદ્ધ જાગરૂકતા ફેલાવે અને શાળાઓના બાળકો સાથે રમે.
PM Sh @narendramodi ji gave a clarion call to our Olympians & Paralympians to visit schools and interact with students on the importance of ‘santulit aahaar’,fitness,sports & more.
બુધવારે રમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું કે, ભાલા ફેંકના ખેલાડી ચોપરા પ્રધાનમંત્રીના મિશનની શરૂઆત કરશે. ઠાકુરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અમારા ઓલમ્પિયન અને પેરાઓલમ્પિયન આહ્વન કર્યું હતું કે તેઓ શાળાઓની મુલાકાત લે અને વિદ્યાર્થીઓને સંતુલિત આહાર, ફિટનેસ, રમત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરે. 4 ડિસેમ્બરે નીરજ ચોપરા અમદાવાદની સંસ્કારધામ શાળામાં આ મિશનની શરૂઆત કરશે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને શિક્ષણ મંત્રાલય આને આગામી 2 વર્ષમાં 'ચેમ્પિયન્સ સાથે મુલાકાત' કાર્યક્રમના રૂપમાં ચલાવવા પર કામ કરી રહ્યું છે.
આ કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવનો ભાગ હશે જે દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન છે. ચોપરાએ ટોક્યોમાં ભાલા ફેંકમાં 87.58 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ જીત્યો હતો. તો અન્ય ભારતીય ખેલાડીઓએ દેશ માટે પદકો જીત્યા હતા.
સંસ્કારધામનું સ્પોર્ટ્સમાં મહત્વનું યોગદાન
અમદાવાદની સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી અગાઉ ઓલિમ્પિક ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે. હાલમાં યોજાયેલા ટોક્યો ઓલિમ્પિકમાં શૂટર ઈલાવેનિલ વાલાવારીને આ એકેડેમીમાંથી ટ્રેનિંગ લીધી હતી. જ્યારે પેરાલિમ્પિકમાં ભારત માટે અવની લેખરાએ શૂટિંગમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો જેના કોચ જીવનલાલ રાય સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીના રાઈફલ હેડ કોચ છે.
સંસ્કારધામ સ્પોર્સ્ટ્સ એકેડમી શું છે
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સંસ્કારધામ સ્પોર્સ્ટ્સ એકેડમી ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં શિક્ષણ આપતી આધુનિક સ્કૂલ છે. સંસ્કારધામ સ્પોર્સ્ટ્સ એકેડમી ગુજરાત બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન સંસ્થા છે. 1992 ની સાલમાં સ્થાપિત સંસ્કારધામ સ્પોર્સ્ટ્સ એકેડમી ફક્ત સ્કૂલ જ નહીં પરંતુ યુવાનોને તેમના ઈચ્છિત ધ્યેય સિદ્ધ કરવા માટેની પ્રેરણા આપનાર સંસ્થા પણ છે.
સંસ્કારધામ અમદાવાદની હદમાં સુંદર વાતાવરણ વચ્ચે આવેલું છે; 125 એકરમાં ફેલાયેલું લીલુંછમ, પ્રદૂષણ મુક્ત અને સુંદર લેન્ડસ્કેપ, તે શહેરના મોટા ભાગના વિસ્તારો સાથે સારી રીતે જોડાયેલું છે. વિશાળ શાળા કેમ્પસ અને બગીચાઓ અને આસપાસનો વિસ્તાર સંસ્થાની સુંદરતામાં વધારો કરે છે. તેમાં સારી રીતે સજ્જ વર્ગ ખંડ, ડાઇનિંગ હોલ, એક વિશિષ્ટ પુસ્તકાલય અને સારી રીતે સજ્જ કમ્પ્યુટર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, પ્રયોગશાળાઓ ધરાવતી વિશાળ ઇમારતો છે. સંસ્કારધામ છોકરાઓ માટે રહેણાંક શાળા છે અને ડે સ્કૂલ પણ છે.