જો સખત મહેનત કરવા છતાં પણ તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે, તો તમારે પૂજા દરમિયાન ભગવાનને તેમની પસંદગીના આ ફૂલો અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી તમારા પરિવાર પર ભગવાનની કૃપા વરસશે.
સખત મહેનત છતાં આવી રહી છે મુશ્કેલી?
કોઈ કામમાં સફળતા નથી મળતી?
તો દેવી દેવતાઓને આ રીતે અર્પણ કરો ફૂલ
કેટલાક લોકો સાથે એવું જોવા મળે છે કે મહેનત કર્યા પછી પણ તેમના ઘરમાં પૈસા નથી ટકતા. વાત વાત પર લોકોમાં ઝગડા થાય છે. ઘરમાં એક અલગ પ્રકારનું નકારાત્મક વાતાવરણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે પૈસા કમાવવા માટે માત્ર મહેનત જ નહીં પરંતુ નસીબ પણ સારું હોવું જોઈએ. જ્યારે તમને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે ત્યારે જ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
બધા દેવી-દેવતાઓને વિવિધ રંગના ફૂલો પ્રિય છે. જો તમે તેમને તેમના મનપસંદ ફૂલ અર્પણ કરશો તો તેમની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહેશે અને પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહેશે.
વાદળી રંગના ફૂલોથી પ્રસન્ન થાય છે શનિદેવ
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જે લોકો પર શનિદેવની કૃપા હોય છે, તેમના ઘરમાં સુખ-શાંતિની કોઈ કમી નથી રહેતી. તમને જણાવી દઈએ કે શનિદેવને વાદળી રંગના ફૂલ વધુ પ્રિય છે. શનિદેવ તેમની પૂજા દરમિયાન વાદળી ફૂલ ચઢાવવાથી પ્રસન્ન થાય છે. મહત્વનું છે કે શનિદેવને પણ વાદળી રંગના લાજવાનીના ફૂલો ખૂબ પસંદ છે.
હનુમાનજીને ગમે છે લાલ-પીળા ફૂલો
ભગવાન હનુમાનને સંકટમોચક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાન મનુષ્યો પર કોઈપણ પ્રકારની આફતને દૂર કરવા માટે સક્ષમ છે. જો તમે પણ સંકટમોચનના ભક્ત છો, તો તેમની પૂજા દરમિયાન તમે તેમને ગલગોટા, કમળ અથવા જાસુદના ફૂલ અર્પણ કરી શકો છો. હનુમાનજી પર આ ફૂલ ચઢાવવાથી તેમની કૃપા ભક્તો પર બની રહે છે.
માતા લક્ષ્મીને પ્રિય છે કમળનું ફૂલ
જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે, તે ઘરથી ગરીબી દૂર રહે છે. શું તમે જાણો છો કે કમળનું ફૂલ ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે તમે તમારી અનુકૂળતા મુજબ માતાને કોઈપણ ફૂલ અર્પણ કરી શકો છો. ફક્ત ધ્યાન રાખો કે તે ફૂલો વાસી કે સૂકા ન હોય.