પંચમહાલના ગોધરામાં છેલ્લા 3 વર્ષથી બની રહેલો ઓવરબ્રિજ હજુ પણ પૂર્ણ નથી થયો. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ગોધરાના ઓડિદ્રા અને ભાણપુરા ગામ વચ્ચેથી કુણ નદી આવેલી છે. આ નદી પર ઓવરબ્રિજ બની રહ્યો છે. જેનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે જો કે હજુ પણ કામ પૂર્ણ ન થતા ગ્રામજનોએ નદીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે.
ગોધરામાં 3 વર્ષથી ચાલી રહેલું ઓવરબ્રિજનું કામ હજુ પણ અધુરુ
ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકોને મુશ્કેલી
કુણ નદી પર છેલ્લા 3 વર્ષથી બનાવાઇ રહ્યો છે ઓવરબ્રિજ
સરકાર દ્વારા નદી પરનો જૂનો કોઝવે તોડી અને નવા ઓવરબ્રિજ બનાવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે સ્થાનિકો ખુશ હતા કે હવે સારી સુવિધા મળશે અને વાહનવ્યવહાર સરળતાથી થશે. જો કે હજુ પણ ઓવરબ્રિજ ન બનતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
સ્થાનિકો વાહનો લઇને નદીના પાણીમાંથી પસાર થતા અનેક વખત અકસ્માતના પણ બનાવો બન્યા છે. જેમાં 2 સ્થાનિકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે ઓડિદ્રા અને ભાણપુરા ગામના લોકોએ માગ કરી છે કે ઓવરબ્રિજનું કામ તત્કાલીક પૂર્ણ કરવામાં આવે.
ત્યારે અહિંયા સવાલો ઉઠી રહ્યા છે કે જો કોઇ અકસ્માત થશે તો જવાબદાર કોણ?. તંત્રને અનેક રજૂઆત કરાઇ છતા કેમ સાંભળતા નથી?. આડિદ્રા અને ભાણપુરા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે તેનાથી કોઇ ફરક નથી પડતો?. કુણ નદી પર ક્યારે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થશે?. ઓવરબ્રિજ પાછળ કરોડો ખર્ચાય છે તો સમયસર બનતા કેમ નથી?.