મુંબઇ:પંજાબ નેશનલ બેંકમાં કરોડોની છેતરપિંડી મામલે ગીતાંજલિ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ વિપુલ ચિતાલિયાની CBIએ ધરપકડ કરી લીધી છે.વિપુલ ચિતાલિયા બેંગકોંગથી પરત ફરતાં જ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવાઈ છે.હાલ CBI એ વિપુલ ચિતાલિયાની પૂછપરછ હાથ ધરી છે.
કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશથી બહાર છે.આ પૂર્વે 12 હજાર 500 કરોડની છેતરપિંડીની વાત સામે આવી હતા.જોકે બાદમાં બેંકે 1300 કરોડ એકસ્ટ્રા ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ કહ્યું.જેથી આ રકમ હવે 12 હજાર 672 કરોડ રૂપિયા થઈ ગઈ છે.મહત્વનું છે કે આ પૂર્વે સોમવારે સીબીઆઈએ બેંકના જનરલ મેનેજર એસ.કે.ચંદની પૂછપરછ કરી હતી.અને અન્ય 4 લોકોની ધરપકડ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા PNB કૌભાંડ મામલે વિરોધના સુર ઉઠેલા છે ત્યારે આજરોજ ભારતની સાંસદના બંને ગ્રૃહો બહાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જ્યારે દેશભરમાં આ કૌભાંડ આચરનારા સામે કડક પગલા સરકાર દ્વારા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.