જૂનાગઢમાં ગિરનાર રોપ-વેના ભાવ સામે વિરોધ બાદ ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. GST સાથે ટિકીટનો દર 700 કરવામાં આવ્યો છે. પહેલા GSTની સાથે 826 રૂપિયા ટિકિટ થતી હતી.
ગિરનાર રોપ-વેના ભાવ સામે વિરોધની થઈ અસર
ટિકીટના દરમાં કરાયો ઘટાડો
GSTની સાથે ટિકીટનો દર 700 કરાયો
ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળી સુધી ટિકીટમાં કન્શેસન આપવામાં આવી રહ્યું છે. દિવાળી બાદ ટિકીટનો દર 826 રૂપિયા થવાનો હતો. વિરોધ બાદ હવે દિવાળી પછી વધવાના ટિકિટ દરને ફિક્સ કરવામાં આવ્યો છે.
GST સાથે ટિકિટનો ભાવ 700 રહેશે
આપને જણાવી દઇએ કે, હવે દિવાળી બાદ પણ GST સાથે ટિકિટનો ભાવ 700 જ રહેશે. બાળકોનો ટિકિટ દર 350 રાખવામાં આવ્યો છે. હજુ પણ ટિકિટ દર ઘટાડવા સ્થાનિક નેતાઓ, પ્રવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોકાર્પણ
તાજેતરમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપ વેના લોકાર્પણ બાદ આજે પ્રવાસી માટે ખુલ્લો મૂકાયો છે. આજે પ્રથમ દિવસે જ ગિરનારમાં લોકોની ભીડ જોવા મળી હતી. દશેરા અને રવિવારની રજાના કારણે મોટી સંખ્યામાં લોકો રોપ વેથી માં અંબાજીના દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. ગિરનારના સાનિધ્યમાં પ્રકૃતિના સહવાસમાં મોજ માણતા પ્રવાસીઓએ રોપ વેની સુવિધાને આવકારી હતી. જો કે ટિકિટના ભાવ ઘટાડવાનો પણ મત રજૂ કરતાં કેટલીક પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો.