સુરતમાં DGVCLની ઘોર બેદરકારીએ એક યુવતીનો ભોગ લીધો છે. વરાછાના યોગીચોક નજીક DGVCLના થાંભલામાં ખુલ્લા વાયર હોવાથી યુવતીને કરંટ લાગ્યો હતો. રોડ પરથી લોકો પસાર થઇ રહ્યા હતા ત્યારે આ યુવતી પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. જે દરમિયાન તે થાંભલાને અડકતા જ યુવતીને કરંટ લાગ્યો અને ગણતરીની સેકન્ડોમાં તે મોતને ભેટી હતી.
બે યુવતીઓ કોઇ કામથી પુણા આવી હતી. જેમાં તેઓ આ થાંભલા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે યુવતીએ થાંભલાને અડકતા કરંટ લાગ્યો હતો. અચાનક જ યુવતી થાંભલા સાથે ચોંટી ગઇ હતી. બાદમાં લાકડાના ફટકા વડે દૂર કરવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં યુવતીનું મોત નિપજ્યું હતું.
વિનુભાઇ મૂળ સાવરકુંડલાના હાલ તેઓ સુરતમાં મજૂરી કામથી પોતાનો પરિવાર ચલાવે છે. ત્યારે તેમની ચાર દીકરીઓમાંથી એક દીકરીનું વીજ કરંટથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત છતા કોઇ કામગીરી નહીં
ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતા પણ DGVCLએ કોઇ યોગ્ય કામગીરી ન હતી કરી. ત્યારે DGVCL આવી ઘોરબેદરકારીના કારણે યુવતીનું મોત નિપજ્યું છે. જો કે આ પહેલી જગ્યા નથી સુરતમાં અનેક સ્થળો પર જોખમી વાયર અને ટ્રાન્સફોર્મર હાલ પણ ખુલ્લી હાલતમાં છે. 10 દિવસ પહેલા જ કરી હતી રજૂઆત પરંતુ કોઇએ ધ્યાન ન આપ્યું.
મહત્વનું છે કે, પુણામાં યુવતીના વીજ કરંટથી મોતનો મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. DGVCLની બેદરકારીની તપાસ કરવામા આવશે. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
યુવતીના મોતનું જવાબદાર કોણ?
ત્યારે અહિંયા સવાલ ઉઠી રહ્યા છે કે, DGVCL ક્યાં સુધી આવી બેદરકારી રાખશે ? અગાઉ રજૂઆત કરવામાં આવી છતા પણ કેમ ઊંઘમાં રહ્યું DGVCL? DGVCL ક્યાં સુધી આવી બેદરકારી રાખશે? યુવતીના મોતનું જવાબદાર કોણ? અગાઉ રજૂઆત છતા કેમ કામગીરી ન કરાઇ? DGVCL ક્યાં સુધી આવું બેદરકારી ભર્યું વલણ દાખવશે? શું DGVCL માટે લોકોના જીવની કોઇ કિંમત નથી? DGVCLના બહેરા તંત્રને લોકોની રજૂઆતો નથી સંભળાતી? DGVCLને કેટલા લોકોના હજી ભોગ લેવા છે? ખુલ્લા વાયરો અને ટ્રાન્સફોર્મર ફરતે વાડ કરવાની જવાબદારી કોની?