ગીર સોમનાથ નાં કોડીનાર ખાતે આવેલી અબુંજા સિમેન્ટ કંપની સામે રોજગારીને લઈ યુવાનોનું આંદોલન હજુ પણ ચાલુ. ગીર સોમનાથનાં વડનગર ગામનાં લોકો છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહ્યા છે.પરપ્રાંતિઓને રોજગારી આપી સ્થાનિકોને રોજગાર ન મળતા શરૂ કર્યા ધરણા.કોડીનાર તાલુકા સરપંચ સંઘ બાદ જાણ અધિકાર મંચનું મળ્યું સમર્થન.
ગીર સોમનાથ અંબુજા સામે આંદોલન
સ્થાનિક યુવાનોએ કર્યું આંદોલન
રોજગારી માટે ચડાવી બાયો
ગીર સોમનાથનાં કોડીનારમાં આવેલી અબુંજા સિમેન્ટ કંપની સામે રોજગારીને લઈ યુવાનોનું આંદોલન કરી રહ્યા છે. યુવાનો છેલ્લા 22 દિવસથી આંદોલન કરી રહ્યા છે. યુવાનોની માગ છે કે કંપનીમાં સ્થાનિકોની ભરતી કરવામાં આવે. કારણ કે, હાલ પરપ્રાંતિય લોકોની ભરતી કરવામાં આવી રહી છે જ્યારે તેની સામે સ્થાનિકો બેરોજગાર છે. કંપની સ્થાનિક સંશાધનોનો ઉપયોગ કરે છે. અને કંપનીને કારણે સ્થાનિક પર્યાવરણ પર પણ અસર થઈ છે આવામાં કંપનીની પહેલી જવાબદારી છે કે વળતર સ્વરૂપ સ્થાનિકોને રોજગારીની તક આપે
ગ્રામજનો એવું માનતા હતા કે કંપની નિર્માણ પામશે તો સ્થાનિક યુવાનો ને રોજગારી મળશે
ગીર સોમનાથનાં વડનગર ગામે આવેલી અંબુજા સિમેન્ટ કંપનીનાં જે આજથી ત્રીસેક વર્ષ પહેલાં નિર્માણ પામી હતી.જોકે કંપનીનાં નિર્માણમાં વડનગર ગામના મોટાભાગના ખેડૂતોની જમીન ગઈ છે. અને લોકોએ પણ હોંશે હોંશે કંપનીનાં નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે. ગ્રામજનો એવું માનતા હતા કે કંપની નિર્માણ પામશે તો સ્થાનિક યુવાનો ને રોજગારી મળશે.
22 દિવસથી અનશન ઉપર ઉતર્યા છે
આજે કંપની નિર્માણ પામ્યાનાં આટલા વર્ષો પછી પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળી નથી.જોકે કંપનીનાં અધિકારીઓ તેમજ તંત્રને અનેક રજુઆતનાં અંતે કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા વડનગર ગામના લોકો છેલ્લા 22 દિવસથી અનશન ઉપર ઉતર્યા છે.તો છેલ્લા કેટલાક દિવસ સુધી સાત યુવાનો દ્વારા અનશન ઉપર ઉતર્યા હતા.છેલ્લા સાત દિવસથી સરપંચનાં પ્રતિનિધિ ભરત ભાઈની સાથે ત્રણ લોકો અનશન ઉપર ઉતર્યા છે.જ્યાં સુધી માંગ નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સ્થાનિકોમાં રોજગારીનો અભાવ
ગીર સોમનાથનાં વડનગર ગામે ચાલતા આંદોલનમાં આખરે જન અધિકાર મંચ ના પ્રવિણ રામ પણ જોડાયા છે.તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે હજુ સુધી કંપનીના અધિકારીઓ દ્વારા કોઈપણ ચોક્કસ નિર્ણય લેવાયો નથી છેલ્લા બે દિવસ પહેલા મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ કંપનીનાં અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની માગણી સ્વીકારવામાં આવી નથી.હાલમાં કંપની ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર થઈ છે.અમારી ફેવરમાં નિર્ણય લેવાશે તો ઠીક છે નહીંતર ઉગ્ર આંદોલન થશે. કોડીનાર ખાતે આવેલી અબુંજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે,સ્થાનિકોમાં રોજગારીનો અભાવ છે.