પૂર્વ ભારતીય કપ્તાન સુનીલ ગવાસ્કરે ચેતેશ્વર પુજારાને લઇને મોટુ નિવેદન આપ્યું છે.
સુનીલ ગવાસ્કરે આપ્યુ ગજબ નિવેદન
પૂજારાના કરિયર પર પૂર્ણવિરામ?
ભારતની ટીમમાં નવા પ્લેયરની જરૂર?
સુનીલે કહ્યું કે ટેસ્ટમાં પુજારાની જગ્યાએ કોઇ બીજા બેટ્સમેનને તક આપવી જોઇએ. ગવાસ્કરે કહ્યું કે જો પુજારાની રમવાની રીત કામ ન કરી રહી હોય તો કોઇ બીજા ખેલાડીને તક આપવી જોઇએ.
પુજારાને ટેસ્ટમાંથી બહાર કરવાની ઉઠી માગ
મજબૂત ડિફેન્સ અને ટેકનીક માટે પૂજારા ઓળખાય છે પરંતુ સારા બોલ પર પણ રન ન બનાવી શકવાના કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. પૂજારાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, જે બાદ તેને લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પુજારાને ટેસ્ટ ટીમની બહાર કરી દેવાની માગ ઉઠી છે.
ગવાસ્કરે આપ્યું નિવેદન
ગવાસ્કરે કહ્યું કે જો ટીમને ચેતેશ્વ પુજારાની ટેકનીક પર ભરોસો નથી તો તે કોઇ બીજા ખેલાડીને અજમાવી શકે છે. પૂજારા 2 વર્ષમાં એક પણ વાર શતક નથી મારી શક્યો તેણે 2018ની મૅચમાં છેલ્લીવાર 100 રન કર્યા હતા.
ટીમ ઇન્ડિયાના આ બેટ્સમેનના કરિયર પર પૂર્ણવિરામ
પુજારાના આ પ્રકારના પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ મુકાવાની શક્યતાઓ વધી ગઇ છે. કારણકે વિરોધી ટીમ પર હાવી થવા માટે ડિફેન્સીવ થવાની નહી પરંતુ રન બનાવવાની જરૂર છે પરંતુ પુજારાની બેટિંગમાં કોઇ દમ નથી. ટોપ ઓર્ડર ભારતની તાકાત છે જે ટેસ્ટ મેચમાં સતત ફ્લોપ થઇ રહ્યું છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ચેતેશ્વર પૂજારાએ 36મા બોલ પર પોતાનું ખાતુ ખોલ્યુ હતુ. પુજારાના આ પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે. વિરોધી ટીમ પર હાવી થવાની જગ્યાએ રન બનાવવાની જરૂર છે. પૂજારાની બેટિંગમાં ખાસ મજા રહી નહી અને તે સતત ફ્લોપ બેટિંગ જ કરી રહ્યો છે.
પૂજારાની જગ્યાએ KL રાહુલ વિકલ્પ
હવે ત્રીજા નંબરે બેટિંગ માટે કેએલ રાહુલ સારો વિકલ્પ છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે. ચેતેશ્વર પુજારાએ છેલ્લીવાર 2018માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન શતક માર્યુ હતુ. ત્યારે સિડનીમાં 193 રન માર્યા હતા. જે બાદ તેણે એકવાર પણ 100 રન માર્યા નથી.
ઇંગ્લેન્ડ છેલ્લી તક
ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી પોતાની ટેસ્ટ કરિયરમાં 18 શતક અને 29 અર્ધશતક માર્યા છે. પૂજારાએ 86 ટેસ્ટ મૅચમાં 46.31ની ઔસતથી 6252 રન બનાવ્યા છે.