જો કોઈ મૃત વ્યક્તિ કે મૃત્યુનો અહેસાસ થતાં વ્યક્તિની પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો એવી સ્થિતિમાં યમરાજ તેના પાપોને માફ કરી દે છે, ચાલો જોઈએ કઈ છે એ વસ્તુઓ
ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુ અને સ્વર્ગ-નર્કની વાત કરવામાં આવી છે
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માનું શું થશે
મૃત વ્યક્તિની પાસે આ વસ્તુઓ રાખવામાં આવે તો યમરાજ તેના પાપોને માફ કરી દે
આપણે બધા એ લગભગ આ વાત સાંભળી જ હશે કે વ્યક્તિને તેના કર્મ જેવું જ પરિણામ મળે છે. ખરાબ કર્મ કરવા પર એ વ્યક્તિએ કોઈના કોઈ સમયે તેના કર્મોનું ફળ ચોક્કસપણે ભોગવવું પડે છે. આ કર્મોનું ફળ માત્ર જીવનકાળમાં જ નહીં પરંતુ મૃત્યુ પછી પણ મળે છે. આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણ સનાતન હિંદુ ધર્મનો એક એવો ગ્રંથ છે જેમાં જીવન-મૃત્યુ અને સ્વર્ગ-નર્કની વાત કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિને પણ તેના કર્મો પ્રમાણે સ્વર્ગ કે નર્ક મળે છે. એટલા માટે વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યો માટે ઘરે 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ કરે છે જેથી મૃત વ્યક્તિની આત્માને મોક્ષ મળી શકે.
ખાસ જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માનું શું થશે. આ વાત વ્યક્તિના કર્મ પર આધાર રાખે છે પણ જો કોઈ મૃત વ્યક્તિ કે મૃત્યુનો અહેસાસ થતાં વ્યક્તિની પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો એવી સ્થિતિમાં યમરાજ તેના પાપોને માફ કરી દે છે અને તેને સજા પણ નથી કરતા. આજે અમે તમને એ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ગંગાજળ
દરેક શાસ્ત્રોમાં ગંગાના જળને મોક્ષ માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવામાં જો કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલા ગંગાજળ તેના મોઢામાં મુકવામાં આવે તો તે શરીરને શુદ્ધ કરે છે અને આ કારણે વ્યક્તિને મૃત્યુ પછી યમલોકમાં સજા ભોગવવી પડતી નથી.
તુલસી
મૃત્યુ પહેલા વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન મૂકવામાં આવે છે. આપણા હિંદુ ધર્મમાં તુલસીને પણ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવામાં મૃત્યુ પહેલા વ્યક્તિના મોંમાં ગંગાજળ મિશ્રિત તુલસી આપવામાં આવે છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના માથા પાસે તુલસીનો છોડ અથવા પાંદડા રાખવાથી વ્યક્તિને પોતાના પ્રાણ ત્યાગ કરવામાં સરળતા રહે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા
જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અથવા તો એ વ્યક્તિના મૃત્યુનો અહેસાસ થવા લાગ્યો હોય તો તેની સામે શ્રીમદભગવદ્ગીતા અથવા બીજું કોઈ ધાર્મિક પુસ્તક રાખવું જોઈએ અને તેનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી એ વ્યક્તિને મૃત્યુ પછી યમરાજની સજામાંથી મુક્તિ મળે છે અને સાથે જ તેને મોક્ષ પણ મળે છે.
ભગવાનનું નામ લો
જો પ્રાણ ત્યાગતા પહેલા ભગવાનનું નામ લેવામાં આવે અથવા ફક્ત તેનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથી અને તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે.