તમે ગણેશ ભગવાનના ઘણા મંદિરો માટે સાંભળ્યું હશે જેને વિશ્વભરમાં વધારે પ્રસિદ્ધિ પ્રાપ્ત છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ જે પોતાની અજીબ માન્યતાને લઇને દિવસે પ્રસિદ્ધિ મેળવતું જાય છે. જી હાં રાજસ્થાનમાં એક એવું મંદિર છે જ્યાં ગણપતિને કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ચિઠ્ઠી દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે. જે કારણે હંમેશા ગજાનના પગમાં ચિઠ્ઠીઓનો ઢગલો જોવા મળે છે.
રાજસ્થાનના સવાઇ માધોપુરથી 10 કિમી દૂર રણથંભોર કિલ્લામાં બનેલા આ ગણેશ મંદિરનું નિર્માણ 10મી સદીમાં અહીંના રાજા હમીરે કરાવ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર યુદ્ધ દરમિયાન ગણેશજીએ રાજાને સ્વપ્નમાં આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ યુદ્ધમાં રાજાનો વિજય થયો. ત્યારે એમને પોતાના કિલ્લામાં આ મંદિર બનાવડાયું.
મંદિરની સૌથી ખાસ અને વિશેષ વાત એ છે કે એ મંદિર ભગવાનને ચિઠ્ઠી મોકલવા માટે જ કરવામાં આવે છે. અહીંના લોકો પોતાના ઘર અને કોઇ પણ શુભ કામ કરતા પહેલા રણથંભોર વાળા ગણેશ જીના નામ પર નિમંત્રણ પત્ર બનાવડાવે છે.
અહીંયા ભગવાન ગણેશજીની પ્રતિમા બાકી મંદિરોથી કંઇક અલગ છે. પ્રતિમામાં ગણપતિની 3 આંખો છે. એ એમની પત્ની રિદ્ધિ સિદ્ધિ તથા પુત્ર શભ લાભ સાથે બિરાજમાન છે.