બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ કરનાર નેતા હાર્દિક પ્રજાપતિની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. નેતા હાર્દિક અને ઉમેદવારની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. હાર્દિકે ઓડિયો ક્લીપમાં યુવરાજસિંહને સમર્થન આપતા કહ્યુ કે, યુવરાજસિંહ આંદોલનમાંથી નિકળ્યા તો કઈંક કારણ હશે.કોઈ કારણ વગર યુવરાજસિંહ આંદોલનમાંથી નિકળે જ નહી. તમે જાણતા નથી હાલમાં યુવરાજસિંહ કઈ પરિસ્થિતિમાં છે.
પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે પુરાવા આપ્યા બાદ હવે પોઝિટિવ તપાસ થશે.સાથે જ હાર્દિકે ઉમેદવારને કહ્યુ કે, અમે તમને આંદોલન માટે બોલાવ્યા ન હતા. અમે લોકોએ કોઈને પણ ફોન અથવા મેસેજ કરીને બોલાવ્યા ન હતી. પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે યુવરાજસિંહ CCTV સામે લાવ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગરમાં ઉમેદવારોને સાથે રાખીને યુવરાજસિંહે ધરણા કર્યા હતા. VTV વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતુ નથી.