ગાંધીનગર: ગીરના જંગલમાં સિંહોના મોત બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે વન રક્ષકોની જગ્યા ત્વરિત ભરવા માટે આદેશ કર્યો છે. સામાન્ય રીતે વન રક્ષકોની ભરતી ગૌણ સેવા કરે છે.
જોકે હવે રાજ્ય સરકારના આદેશ બાદ વન વિભાગ વન રક્ષકોની સીધી ભરતી કરશે. રાજ્યની 334 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે 6 સભ્યની સમિતિ પણ બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગીરમાં વીસ દિવસમાં 23 સિંહના મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. સિંહના મોત પાછળ ઈનફાઈટ અને વાયરસ જવાબદાર હોવાનું પણ બહાર આવ્યું હતું.
પરંતુ આ ઘટનામાં સત્યાર્થતા કેટલી છે તે એક તપાસનો વિષય છે. જેના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે સિંહના મોતના મામલે જવાબ માગ્યો છે.
આપને જણાવી દઇએ કે મોટી સંખ્યમાં સિંહના મોત થતાં રાજ્ય સરકાર સફાળી જાગી છે અને વનરક્ષકોની જગ્યા તાત્કાલિક અસરથી ભરવા માટેના આદેશ પણ આપ્યા છે. આ મુદ્દે રાજ્યનો વન વિભાગ 334 વન રક્ષકોની સીધી ભરતી કરશે. આ ભરતી માટે 6 સભ્યોની સમિતી પણ રચવામાં આવી છે.