ગાંધીનગરમાં વહેલી સવારે પંચવટી સોસાયટીમાં ગેસલાઈમાં બ્લાસ્ટ થવાને કારણે બે મકાન ધરાશાયી થયા હતા એટલું જ નહીં 2 લોકોના જીવ ગયા છે. અને 4 લોકો ઘાયલ થયા છે.
ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલો
દુર્ઘટનામાં બે લોકોના થઈ ચૂક્યા છે મૃત્યુ
આટલી મોટી દુર્ઘટના છતા અધિકારીઓનું મૌન
કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે CMO કાર્યાલયએ રિપોર્ટ માંગ્યો છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 2ના મોત 4 ઘાયલ થયા છે.
ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો છે અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યો હતો.
અધિકારીઓનું કહેવું છે કે પાઈપલાઈન ONGCની નથી
કલોલમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે ગાંધીનગરના કલેકટર કુલદીપ આર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ છે. ONGCની પાઇપલાઇન ત્યાંથી પસાર થતી નથી એવું અધિકારીનું કહેવું છે. ગુજરાત ગેસ, સાબરમતી ગેસની લાઈન ત્યાંથી પસાર થાય છે. કઇ કંપનીની ગેસ લાઇન છે તેની તપાસ ચાલું છે. હાલ ગેસ સપ્લાય બંધ કરવામાં આવી છે. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે.
શું કહે છે બિલ્ડર
કલોલમાં ગાર્ડન સીટીમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે ગાર્ડન સીટીમા બાંધકામને લઇ કેટલીક વિગતો સામે આવી છે. રાજુ પટેલના નામના બિલ્ડરે 2005માં સ્કીમ મૂકી હતી. બિલ્ડર રાજુ પટેલનો દાવો છે કે, ગેસ લાઈન પાસેથી પણ NOC લેવાઈ હતી. NA પણ કલેક્ટર ઓફીસથી મેળવી છે. ગાર્ડન સીટીના રહીશોને મોત મુખમા ધકેલનારાઓ કોણ છે.
2 લોકોના મોત
બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થઈ ચુક્યા છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના મકાનોના બારીના કાચ તુટી ગયા છે. બ્લાસ્ટમાં 4 લોકો ઘાયલ થયા છે.
શું કહે છે પોલીસ?
રેન્જ આઇજી અભય ચૂડાસમા આ મામલે જણાવ્યું હતુ કે, આજે વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા છે બે મૃત્યુ થયા છે. સંભવતહ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઓએનજીસીની પાઇપ લાઇન જતી હોય ત્યા જનરલી મકાન ના બની શકે એવો નિયમ છે. પણ એ તપાસ નો વિષય છે.
હજુ પણ નીચે ભડકી રહી છે આગ
ક્યારે થઈ ઘટના
સવારે 7:30 વાગે બ્લાસ્ટની ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. હાલમાં ફાયર-પોલીસ તેમજ ONGC ગેસ લાઈનમાં લીકેજની આશકાને પગલે ગેસની કંપની ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.