ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વહીવટના વિવાદ મામલે 6 ડિસેમ્બરે 2 પોલીસ અધિકારીએ કરેલી મારમારીના CCTV સામે આવ્યા છે.મંદિરમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મારમારી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ભાવનગર રેન્જ IG સમક્ષ આ સમગ્ર મામલે ફરિયાદ પણ કરાઈ હોવાનું જણાવામાં આવ્યું છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલો
મંદિરમાં થયેલી માથાકૂટના CCTV જાહેર
2 પોલીસ અધિકારી પર મારામારીનો આક્ષેપ
ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે નવો વળાંક સામે આવ્યો છે. જેમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકૂટના CCTV સામે આવ્યાં છે. જેમાં 2 પોલીસ અધિકારી પર મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર 6 ડિસેમ્બરના રોજ મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તના દિવસે જ મંદિર પરિસરમાં માથાકૂટ થઇ હોવાના પોલીસ તંત્ર પર આક્ષેપ લગાવામાં આવ્યાં છે. જેને લઇને ભાવનગર રેન્જ IGમાં આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 6 ડિસેમ્બરના રોજ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તન કરી રમેશ ભગતને નવા ચેરમેન બનાવામાં આવ્યાં છે. ત્યારે નોન કોરમ મુજબ ટ્રસ્ટી તરીકે હરિજીવન સ્વામીને દૂર કરાયાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સત્તાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. હરિજીવન સ્વામી પર 21 કરોડની ઉચાપતનો આક્ષેપ લગાવામાં આવ્યો છે.
એસપી સ્વામીના આક્ષેપ પર હરીજીવન સ્વામીની પ્રતિક્રિયા
ગઢડા ગોપીનાથજીના મંદિરના ચેરમેન પદનો વિવાદ વધુ વકર્યો છે. એસપી સ્વામીના આક્ષેપ પર હરીજીવન સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. એસપી સ્વામીએ સત્તા કબ્જે કરવા નિરર્થક પ્રયાસ કર્યો છે. એસપી સ્વામીએ કરેલા બધા આક્ષેપો પાયાવિહોણા છે. સત્તા મેળવવા બધા પ્રયસો કરી રહ્યાં છે. બેઠકના દિવસે ટોળુ વધી જતા વિખેરવા પ્રયાસ કર્યા હતા. વિવેકસાગર સ્વામી ઉપરનો આક્ષેપ ખોટો છે. અમે જ DySPને ખુરશી પર બેસવાનું કહ્યું હતું.
કરોડોની ઉચાપત થઈ હોવાનો એસ.પી. સ્વામીએ કર્યો આક્ષેપ
ગઢડા સ્વામિનારાયણ મંદિર મામલો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે. ગઢડામાં ધાર્મિક સંસ્થામાં પોલીસની દાદાગીરી મામલે એસ પી સ્વામીએ કહ્યું કે DySP કક્ષાના અધિકારીને આવુ વર્તન શોભતું નથી. ધર્માચાર્યો, સાધુ -સંતો આ મામલે જવાબ આપશે, છેલ્લા 6 મહિનાથી ટ્રસ્ટની મિટીંગ બોલાવાઇ નથી. જ્યારે એસ.પી. સ્વામીએ કરોડોની ઉચાપત થઇ હોવાનો આક્ષેપ ક્યો છે. જ્યારે આ ઉચાપત મુદ્દે જવાબ આપવા હરિજીવન સ્વામી હાજર રહેતા નહોતા. એસ. પી. સ્વામીએ આક્ષેપ કરતા કહ્યું કે કરોડો રુપિયા આપી પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નૌતમ પ્રકાશ અને વિવેક સાગરનું ષડયંત્ર હોવાનો એસ. પી. સ્વામીએ આરોપ લગાવ્યો છે.
આમ સંપૂર્ણ વિગત પર નજર કરીએ તો ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 6 ડિસેમ્બરના રોજ નેતૃત્વ પરિવર્તનના દિવસે DySP રાજદીપસિંહ નકુમ અને DYSP દેસાઇ પર ગેરવર્તૂણક કરી હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે.