પીએમ મોદી મંગળવારે ગૃપ ઓફ G20 એક્સ્ટ્રાઓર્ડિનરી લિડરની સમિટમાં ભાગ લેશે.
વિદેશ મંત્રલાય સોમવારે આ અંગેની જાહેરાત કરી
આ સમિટમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી કટોકટી અંગે ચર્ચા કરાશે
અફઘાનિસ્તાન અંગે તાજેતરમાં એક ખાસ બેઠક યોજાઈ હતી
At the invitation of the Italian Presidency of the G20, PM @narendramodi will participate in the G20 Extraordinary Leaders’ Summit on Afghanistan on 12 October 2021, in virtual format.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે 12મી ઓક્ટોબરે G20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. જે અંગે વિદેશ મંત્રાલયએ સોમવારે જણાવ્યું હતું કે,પીએમ મોદી મંગળવારે G20 સમિટમાં ભાગ લેશે જેમાં અફઘાનિસ્તાન પર ચર્ચા કરાશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદી ઇટાલીના રાષ્ટ્રપતિના આમંત્રણ પર સમિટમાં ભાગ લેશે.
આ સમિટમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી કટોકટી અંગે ચર્ચા કરાશે
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકના એજન્ડામાં માનવીય જરૂરિયાતો અને યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં મૂળભૂત સેવાઓ અને આજીવિકાની પહોંચ પર ચર્ચાનો કરવામાં આવશે, જે આ વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોએ કબજે કરી હતી. વિદેશ મંત્રાલાયે વધુમાં કહ્યું હતું કે, એજન્ડામાં સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈ અને ગતિશીલતા, સ્થળાંતર અને માનવાધિકાર પરની વાતચીત પણ હશે.
આ સમિટની જાહેરાત ઈટલીના વડાપ્રધાને કરી હતી
વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓની સમિટની જાહેરાત પ્રથમ વખત 29 સપ્ટેમ્બરે ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેગી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠર રોમમાં 30 અને 31 ઓક્ટોબરે થવાવાળી જી -20 નેતાઓના શિખર સંમેલનના અઠવાડિયા પહેલા આ બેઠક થશે.
અફઘાનિસ્તાન અંગે તાજેતરમાં એક ખાસ બેઠક યોજાઈ હતી
એક મિડીયા રિપોર્ટ અનુસાર, ડ્રેગીએ તાજેતરમાં જ રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ સહિતના વિશ્વ નેતાઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી જેમાં યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રનો સામનો કરી રહેલા સંકટનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડી કાઢવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક ઉગ્રવાદી સમૂહે માનવ અધિકારો, ખાસ કરીને મહિલાઓ અને લઘુમતીઓ,ની ચિંતા વૈશ્વિક સ્તરે એક મોટી ચિંતા છે. યુરોપીયન દેશોએ પણ આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી છે,
અફઘાનિસ્તાનને આંતકવાદીઓનું આશ્રય સ્થાન બનતા અટકાવું પડશે
ડ્રેગીએ જણાવ્યું હતું કે, "આપણે જોવું છે કે G20 દેશો વચ્ચે સામાન્ય ઉદ્દેશો છે કે નહીં ... અમે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ફક્ત જીવન બચાવવાની ચિંતા કરવાની જરૂર છે." તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ અફઘાનિસ્તાનને આતંકવાદીઓનું આશ્રયસ્થાન બનતા અટકાવવા માટે વ્યૂહરચના ઘડવી જોઈએ.