ફરી ચેક મોકલવાની મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાને કરાશે અપીલ
કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. ઓડિટ રિપોર્ટમાં ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંબંધિત બેંક ખાતાઓમાં પુરતું ફંડ નહીં હોવાને કારણે અને ઓવરરાઇટિંગ તથા સિગ્નેચર મિસમેચ થતી હોવાને લીધે આવું બન્યું છે.
ટ્રસ્ટના સભ્યએ આપ્યું નિવેદન
ટ્રસ્ટના સભ્ય ડો અનિલ મિશ્રાએ કહ્યું હતું કે, બેંકો સાથે આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી રહી છે અને ટેકનિકલ ખામીવાળા મામલામાં ખામી દૂર કરીને રકમ ટ્રાન્સફર કરવાના પ્રયાસો કરાઇ રહ્યા છે.
કુલ 15 હજાર ચેક થયાં બાઉન્સ
મિશ્રાએ કહ્યું કે, બેંકો દ્વારા તેવા લોકોને તેમની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે, જેમના દ્વારા આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા છે. ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરીએ ટ્રસ્ટને જણાવ્યું હતું કે, 15,000 ચેક બાઉન્સ થયાં છે, તેમાંથી 2,000 અયોધ્યામાંથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી વધુ 13,000 ચેક આવ્યા છે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે અમે બાઉન્સ્ડ ચેક પરત કરી રહ્યા છીએ અને દાન આપનારા લોકોને ફરી એકવાર નવો ચેક આપવાની અપીલ છે. જો કે, ચેક બાઉન્સની આ સંખ્યા ઘણી વધારે છે.
આશરે 2500 કરોડનું દાન પ્રાપ્ત થયું હોવોનો અંદાજ
વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સંકળાયેલ અન્ય સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણ માટે ભંડોળ ઊભું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન 15 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાન દરમિયાન 2500 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. જો કે, આ સંદર્ભમાં ટ્રસ્ટ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર ડેટા આપવામાં આવ્યો નથી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રાજસ્થાન તરફથી સૌથી વધુ 515 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય કહે છે કે માત્ર અઢી એકરમાં મંદિર હશે.
પૂરથી મંદિરને અસર નહીં થાય, જાણો કેવી રીતે બનાવવામાં આવશે.
આ ઉપરાંત મંદિરની આજુબાજુ છ એકરમાં આંગણું બનાવવામાં આવશે. પૂરની અસરોને રોકવા માટે રીટેનિંગવાલ ભૂગર્ભમાં આપવામાં આવશે. આ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે, અમે આ તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું, 'આપણે બધા પર્યાવરણને અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મંદિરના આંગણાની બહારની બાકીની 64 એકર જમીનમાં શું બનાવવું જોઈએ તેના માટે આર્કિટેક્ટ કામ કરી રહ્યા છે.