નાણામંત્રી નિર્મલા સીતારામની અધ્યક્ષતામાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 27 મી બેઠક યોજાઇ હતી.
નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 27 મી બેઠક યોજાઇ
અને નાણાકીય સ્થિરતા મજબૂત કરવા પર ભાર મૂકવા પણ કહ્યું છે.
KYC પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કાર્યવાહી
નાણામંત્રી નિર્મલા સીતારામની અધ્યક્ષતામાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 27 મી બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામ પ્રકારની નાણાકીય સર્વિસ માટે એક સમાન કેવાયસી અપનાવવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે ઉત્પાદન સંબંધિત નિયમનકારો માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે નોમીની દાવો ન કરેલ ડિપોઝિટ, શેર, ડિવિડન્ડ દાવો કરવા સહિતના નિર્ણય કરાયા છે.
Union Finance Minister Smt. @nsitharaman chairs the 27th Meeting of the Financial Stability and Development Council #FSDC in New Delhi today 👇
નાણાકીય વર્ષ 2023-24 માટના બજેટની રજૂઆત બાદ નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રના નિકાસકારો જોડાયા હતા. વધુમાં વૈશ્વિક આર્થિક સંકટના આર્થિક સ્થિરતા સામેના પડકારોનો મુદ્દો પણ ગાજયો હતો. જેમાં નાણાપ્રધાને નાણાકીય ક્ષેત્રમાં સ્થિરતા માટે જાગૃત રહેવા ટકોર કરી હતી સંભવિત જોખમને ઓળખી એ પ્રકારે વર્તન કરવા જણાવ્યું હતું. વધુમાં કોઈપણ સખળડખળ સામે સમયસર નિર્ણય લેવાની સલાહ આપી છે.
KYC પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કાર્યવાહી
વધુમાં વિશ્વમાં આર્થિક સંકટ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સુરક્ષિત હોવાનો આર્થિક બાબતોના સચિવ અજય સેઠે દાવો કર્યો હતો.ઉપરાંત વધી રહેલા ડિજિટાઇઝેશનને કેન્દ્રમાં રાખીને સાયબર સુરક્ષા પર સક્રિય રહેવા સૂચના આપી છે પરિણામે મોટા હુમલાને ટાળી શકાય! તેમજ KYC પ્રક્રિયાને સરળ બનાવવાની દિશામાં કાર્યવાહી માટે ડેપ્યુટી આરબીઆઈ ગવર્નરની અધ્યક્ષતામાં સમિતિ જાહેમતશીલ હોવાનું જણાવ્યું છે. બાદમાં તમામ નાણાકીય સેવાઓ માટે એકસમાન KYC અપનાવવામાં આવશે.