આ સ્ટાર્સને તમે સ્ક્રીન પર અંધવિશ્વાસ વિરુદ્ધ વાત કરતા જોયા હશે પણ વાસ્તવિક જીવનમાં આ સ્ટાર્સ આવા ટોટકા અને અંધવિશ્વાસમાં વિશ્વાસ કરે છે, ચાલો જાણીએ એ બૉલીવુડના સિતારાઓ વિશે..
બોલિવૂડના સિતારાઓ અંધવિશ્વાસમાં વિશ્વાસ કરે છે
શહેનશા રૂબી અને નીલમ પથ્થરની વીંટી પહેરે
બૉલીવુડના બાદશાહ 555 નંબરને પોતાના માટે લકી માને છે
બોલિવૂડ સ્ટાર્સ હોય કે સામાન્ય માણસ, દરેક વ્યક્તિ પોતાનું કામ અને સપનું પૂરું કરવા માટે અલગ અલગ પ્રયાસો કરતો રહે છે. અને એ પ્રયાસો કરતાં સમયે ઘણી વખત લોકો અંધશ્રદ્ધા અને મેલીવિદ્યામાં પણ વિશ્વાસ કરવા લાગે છે. સામાન્ય માણસ સહિત બોલિવૂડના સિતારાઓ પણ આવી વાતોમાં ભરોસો કરે છે અને આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ અંધવિશ્વાસમાં વિશ્વાસ રાખે છે. આ સ્ટાર્સને તમે સ્ક્રીન પર અંધવિશ્વાસ વિરુદ્ધ વાત કરતા જોયા હશે પણ વાસ્તવિક જીવનમાં આ સ્ટાર્સ આવા ટોટકા અને અંધવિશ્વાસમાં વિશ્વાસ કરે છે, ચાલો જાણીએ કયા છે એ બૉલીવુડના સિતારાઓ..
અમિતાભ બચ્ચન
બૉલીવુડના શહેનશા અમિતાભ બચ્ચન હંમેશા તેમના હાથમાં રૂબી અને નીલમ પથ્થરની વીંટી પહેરે છે. સાથે એમને એમ પણ જણાવ્યું હતું કે તેઓ ક્યારેય ટીમ ઈન્ડિયાની ક્રિકેટ મેચ લાઈવ જોતો નથી. જ્યારે પણ એમને આવું કર્યું ત્યારે ટીમ હારી ગઈ છે અને એટલા માટે તેઓ હંમેશા રેકોર્ડેડ મેચો જ જુએ છે.
Thank u all for celebrating my 30 yrs with cakes & edits and all things nice. For me the best way to celebrate is to work round the clock today to create more entertainment. Love you all. pic.twitter.com/8MIHuJLj8A
શાહરુખ ખાન
આ યાદીમાં બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ પણ શામેલ છે. IPL દરમિયાન શાહરૂખની ટીમ સતત હારનો સામનો કરી રહી હતી એવામાં કોઈએ તેને તાવીજ પહેરવાની સલાહ આપી હતી અને ત્યારેથી દરેક મેચમાં તેઓ તે તાવીજ પહેરે છે અને આ સિવાય શાહરૂખ ખાન હંમેશા 555 નંબરને પોતાના માટે લકી માને છે.
બિપાશા બાસુ
બિપાશા બાસુ બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે અને આ યાદીમાં તેમનું નામ પણ શામેલ છે. અભિનેત્રી દર શનિવારે લીંબુ-મરચાં ખરીદે છે અને પોતાની કાર સાથે ઘરની બહાર લગાવે છે.
Sisters and brothers tied Rakhi to each other this year.
The raksha goes both ways.
હૃતિક રોશન
બોલિવૂડ એક્ટર હૃતિક રોશન પોતાના હાથની છ આંગળીઓને ખૂબ જ નસીબદાર માને છે. ઘણા લોકોએ તેને તેને હટાવવા માટે કહ્યું હતું પણ હૃતિક રોશન તેને લકી ચાર્મ માને છે.
રણવીર સિંહ
રણવીર સિંહ પણ અંધશ્રધ્ધા અને ટોટકામાં માને છે. રણવીરે પોતે જ એક વાર કહ્યું હતું કે તે બાળપણમાં તેઓ ઘણીવાર બીમાર રહેતા હતા અને આવી સ્થિતિમાં તેમની માતાએ અભિનેતા રણવીર સિંહના સ્વસ્થ થવા માટે તેના પગ પર કાળો દોરો બાંધ્યો હતો, જે તેણે આજ સુધી ક્યારેય ખોલ્યો નથી.