દિલ્હીની પટિયાલા કોર્ટે સોમવારે નિર્ભયા કેસના ચારેય ગુનેગારોને ત્રીજી વાર ડેથ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. ફાંસી માટે 3 માર્ચ સવારે 6 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 3 માર્ચના રોજ ગુનેગારોને ફાંસી આપાશે જ તે હજું પણ કહેવું શક્ય નથી. કેમ કે ગુનેગારના વકીલે દાવો કર્યો છે કે તેની પાસે હજું પણ કાયદાકીય વિકલ્પ બાકી છે. બીજી તરફ નિર્ભયાની માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાકી છે.
ત્રીજી વાર ડેથ વોરન્ટ ઈસ્યુ થયા પણ
પવન પાસે હજું કાયદાકીય વિકલ્પ બાકી
હાઈકોર્ટે ગુનેગારોને વિકલ્પ વાપરવા આપેલો સમય પુરો
ગુનેગારો પોતાના હકનો ફાયદો ઉઠાવી રહ્યાં છે
દેશને હચમચાવી દેનારા વર્ષ 2012ના નિર્ભયા ગેંગરેપના ગુનેગારો કાયદામાં આપવામાં આવેલા ગુનેગારોના હકનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. કાયદાની સાથે ગુનેગારો રમત કરી રહ્યા છે. ફાંસી માટે એક વાર નહીં પણ ત્રણવાર ડેથ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યાં છે.
હજુ વિકલ્પ બાકી
મુકેશ, વિનય અને અક્ષયના તમામ કાયદાકીય વિકલ્પ પુરા થઈ ગયા છે. જ્યારે પવન પાસે હજુ વિકલ્પ બાકી છે. પવનની રિવ્યુ પિટીશન થઈ ગઈ છે. જોકે તેની પાસે હજું ક્યૂરેટિવ પિટિશન , દયા અરજી તથા દયા અરજીના રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારવાનો વિકલ્પ બાકી છે.
7 દિવસનો સમય પુરો થઈ ચુક્યો છે
ઉલ્લેખનીય છે કે ગુનેગારો અનેક પેંતરા કરી રહ્યા છે. અક્ષયના વકીલે દયા અરજી અધૂરી દાખલ કરવામાં આવી હોવાની વાત કરી ફરી દયા અરજી દાખલ કરવાની માંગણી પણ કરી હતી.
નિર્ભયાની માતાના વકીલે 3 માર્ચની તારીખે ફાંસી થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હાઈકોર્ટે ગુનેગારોને 7 દિવસમાં પોતાના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવા કહ્યું હતુ જે 11 ફેબ્રુઆરીએ 7 દિવસનો સમય પુરો થઈ ચુક્યો છે.
કાયદાકીય ઓપ્શન બાકી છે
બીજી તરફ ગુનેગારોના વકિલ એ.પી. સિંહનો દાવો છે કે પવનની ક્યૂરેટિવ પિટિશન બાકી છે. પવનની એસએલપી પર પણ ક્યૂરેટિવ પિટિશન નક્કી થવાની બાકી છે. જો તેમાં રાહત નથી મળતી તો મર્સી પિટિશન ફાઈલ કરીશું. આ ઉપરાંત પણ અનેક કાયદાકીય ઓપ્શન બાકી છે.