જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોને 17 ઑગષ્ટ સુધી ધંધાકીય રીતે મળશે ફાયદો
સૂર્ય આ રાશિના જાતકોને કરશે ફાયદો
17 ઑગષ્ટ સુધી છે કર્ક રાશિમાં
સૂર્યનું રાશિ પરિવર્તન દરેક રાશિને કરશે અસર
જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પરિવર્તન ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે દરેક ગ્રહની પોતાની ચાલ હોય છે. અમુક સમયગાળો હોય છે તે સમયગાળામાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે વૈદિક જ્યોતિષમાં સૂર્ય રાશિના પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય રાશિના પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર થાય છે. 16 જુલાઈ 2022, શનિવારના રોજ, સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ્યો. તે 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. જાણો કર્ક રાશિમાં સૂર્યના આગમનથી કઈ રાશિઓને થશે ફાયદો-
વૃષભ
સૂર્ય તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો. આ દરમિયાન તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો. ભાઈ-બહેનનો પૂરો સહયોગ મળશે. કાર્યશૈલી સુધરશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. કાર્યસ્થળ પર તમને પુરસ્કાર મળી શકે છે.
સિંહ
સૂર્ય તમારી રાશિના 12મા ઘરમાં ગોચર કરી રહ્યો છે. જેના કારણે તમને વિદેશ યાત્રાનો લાભ મળી શકે છે. વેપારીઓ પોતાની મરજીથી નફો કમાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને નોકરીની નવી તકો મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકો માટે સમય સાનુકૂળ છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.
કન્યા
સૂર્ય તમારી રાશિથી 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. સૂર્યદેવની કૃપાથી તમારી આવક વધી શકે છે. નોકરીમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. આ દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં ખુશીઓ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સફળતા મળી શકે છે.