પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી
પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ
અમરિન્દર સિંઘે નવી પાર્ટીનું કર્યું એલાન
કોંગ્રેસ પાર્ટીને આગામી ચૂંટણીમાં પહોંચી શકે છે નુકસાન
હું નવી પાર્ટી બનાવીશ: કેપ્ટન
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં એક બાદ એક રાજકીય ભૂકંપ આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અમરિન્દર સિંઘે હાલમાંઆ જ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ અમરિન્દર સિંઘને હટાવીને ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં અમરિન્દર સિંઘ હવે કોંગ્રેસને જોરદાર નુકસાન પહોંચાડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
In the course of these 4.5 years that I was there, here are all the papers on what we have achieved. This (pic 2) is our manifesto of when I took over. This is our manifesto of what we have achieved (pic 3): Captain Amarinder Singh, in Chandigarh pic.twitter.com/sD5lmdcIs3
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. જોકે તેમણે હાલ તો એમ કહ્યું છે કે અત્યારે પાર્ટીનું નામ બતાવી નથી શકતો કારણ કે હજુ તો મને પણ નથી ખબર. અમરિન્દરે કહ્યું કે વકીલ ચૂંટણી આયોગ સાથે વાતચીત કરી રહ્યા છે. ચૂંટણી આયોગ તરફથી પાર્ટીનું નામ અને સિમ્બોલ કન્ફર્મ થઈ જશે પછી જાહેર કરી દેવામાં આવશે.
On the other hand, I was Punjab Home Minister for 9.5 years. Somebody who has been the Home Minister for 1 month seems to say that he knows more than me...Nobody wants a disturbed Punjab. We must understand we have been through very difficult times in Punjab: Capt Amarinder Singh pic.twitter.com/EjSExBbsgJ
કેપ્ટન અમરિન્દર સિંઘે કોંગ્રેસ હાઇકમાન્ડને પણ જડબાતોડ જવાબ આપ્યો, તેમણે કહ્યું કે 18 પોઈન્ટ પ્રોગ્રામમાં તેમણે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને બતાવી દીધું હતું કે શું કામ કર્યું છે.