બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Malay
Last Updated: 01:04 PM, 5 February 2023
પાડોશી દેશ પકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. જેને લઈ દુબઈની હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. 79 વર્ષીય જનરલ મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું. પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે. ચાલો જાણીએ પરવેઝ મુશર્રફની અત્યાર સુધીની સફર....
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન#pakistan #pervezmusharraf #vtvcard pic.twitter.com/k5uPf5KfIK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 5, 2023
નવાઝ શરીફે બનાવ્યા હતા આર્મી ચીફ
વર્ષ 1997માં પાકિસ્તામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં નવાઝ શરીફનો વિજય થયો હતો. વડાપ્રધાન બન્યા બાદ નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને સેના પ્રમુખ એટલે કે પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ બનાવ્યા હતા. ધીરે ધીરે પરવેઝ મુશર્રફ સેના પ્રમુખ તરીકે શક્તિશાળી બનતા ગયા અને સરકારમાં પણ તેમનો દબદબો વધી ગયો.
કારગિલ યુદ્ધ માટે જવાબદાર
જનરલ પરવેઝ મુશર્રેફને કારગિલ યુદ્ધ માટે પણ જવાબદાર માનવામાં આવે છે. કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. એવું કહેવાય છે કે તેમણે કારગિલ યુદ્ધ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પણ અંધારામાં રાખ્યા હતા.
એક જ ઝાટકામાં પલટી નાખી હતી નવાઝની ખુરશી
વર્ષ 1999માં જનરલ પરવેઝ મુશર્રફે લશ્કરી બળવો કરીને નવાઝ શરીફને સત્તા પરથી હટાવ્યા હતા. નવાઝ શરીફને આ અંગે આશંકા હતી, તેથી તેમણે શંકાના આધારે મુશર્રફને સેના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા. પરંતુ જે જનરલ અઝીઝને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા, તેઓ મુશર્રફના વફાદાર નીકળ્યા. આ પછી નવાઝ શરીફની ખુરશી ઉથલાવી દેવામાં આવી હતી.
2008 સુધી હતા રાષ્ટ્રપતિ
બાદમાં પરવેઝ મુશર્રફે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. પરવેઝ મુશર્રફ 2001થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. જોકે, બાદમાં પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની સરકારી સિસ્ટમનો શિકાર બનવું પડ્યું હતું.
મૃત્યુદંડની ફટકારવામાં આવી હતી સજા
પૂર્વ વડાપ્રધાન બેનઝિર ભુટ્ટો હત્યાકાંડ અને લાલ મસ્જિદ મામલે જનરલ પરવેઝ મુશર્રફને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2019માં પાકિસ્તાનની એક વિશેષ અદાલતે પરવેઝ મુશર્રફને રાજદ્રોહના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. 2007માં ઈમરજન્સી જાહેર કરવા બદલ મુશર્રફ પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો.
સંભળાવી હતી સજા-એ-મોત
પાકિસ્તાનના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું હતું જ્યારે કોઈ પૂર્વ સેના પ્રમુખને રાજદ્રોહના કેસમાં કોર્ટે સજા-એ-મોત સંભળાવવામાં આવી હોય. જોકે, વર્ષ 2020માં લાહોર હાઈકોર્ટે પાકિસ્તાનના પરવેઝ મુશર્રફને મૃત્યુદંડની સજા સંભળાવનાર વિશેષ અદાલતને ગેરબંધારણીય જાહેર કરી હતી. જોકે, હાઈકોર્ટે મુશર્રફને ગંભીર દેશદ્રોહના દોષી ઠેરવ્યા હતા.
2016થી હતા દુબઈમાં
મુશર્રફને હવે પાકિસ્તાનની જેલમાં જવાનો ડર હતો. વર્ષ 2016માં તેઓ સ્વાસ્થ્યના કારણોસર વિદેશ ચાલ્યા ગયા. તત્કાલિન પાકિસ્તાન સરકારે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી મુશર્રફનું નામ હટાવી દીધું હતું. એટલું જે નહીં તેમને દેશની બહાર જવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. જનરલ પરવેઝ મુશર્રેફ માર્ચ 2016થી જ દુબઈમાં રહેતા હતા. ત્યારે આજ રોજ તેમનું નિધન થયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News